Atul from

Monday 31 October 2022

મોરબી પૂલ દુર્ઘટના

 

મોરબી પૂલ દુર્ઘટના 31/10/2022 સમય સાંજના 6:40 કલાકે

*********
મચ્છુ પહેલા બંધ પછી તારો આ પુલ તૂટ્યો !
ભ્રષ્ટાચાર ફૂટયો કે પછી તારો કુદરત રૂઠ્યો ?
કોઈ મર્યા કોઈ ઘાયલ થયા
લોક રોઈ રોઈ પાગલ થયા
હાય ! મોરબી તારા પાદરમાં
જોને કેટકેટલા મારણ થયા !
મરશિયા ગાતાં લોકોનો હીબકે શ્વાસ ખુંટ્યો.
મચ્છુ પહેલા બંધ પછી તારો આ પુલ તૂટ્યો !
કોઈ ફસાયાને, તો કોઈ ડૂબ્યા
કોઈ બહેનીના તો વીર છૂટયા
કોઈના પતિ, તો કોઈના જાયા
માતાયુના મોત પર આંસુ ફૂટ્યા
તહેવારોના દિવસોમા માતમનો ગોળો ફૂક્યો !
મચ્છુ પહેલા બંધ પછી તારો આ પુલ તૂટ્યો !
કોણે બાંધ્યો બંધ ને આ પૂલ ?
કોના પાપે જીવતર થયું ડૂલ ?
પાયામા શુ નાખ્યું હશે તમે કહો
ક્યાં ગયું તથ્ય ને કોની થઈ ભૂલ ?
બંધ ને પૂલ બાંધનારે લોકોનો વિશ્વાસ લૂંટ્યો.
મચ્છુ પહેલા બંધ પછી તારો આ પુલ તૂટ્યો !


તથ્ય



Tuesday 12 July 2022

ગુરુ વંદના

 ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ એક આગવુ મહત્વ રહેલુ છે. ગુરુ-શિષ્યના સબંધ વગર ભારતીય સંસ્કૃતિ અધૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ મહત્વ કેટલુ છે તે તો આ શ્લોક પરથી જ ખબર પડે છે..


ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ

ગુરૂ દેવો મહેશ્વર

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા

તસ્મૈ શ્રી ગુરૂવે નમ:


એટલે કે ગુરૂ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન છે અને ગુરૂ સાક્ષાત પરમેશ્વર સમાન છે. પરંતુ આજના આધુનિક સમયમાં ભારતીય સમાજ માંથી ગુરૂનુ મહત્વ ઓછુ થતુ જાય છે. જો કે તેના માટે કેટલાય પરિબળો જવાબદાર છે.


તુલસીદાસે પણ ગુરૂનો મહિમા ગાતા કહ્યું છે કે ભલે ચારેય વેદોનો અભ્યાસ કરવમાં આવે પરંતુ ગુરૂ વગર મનનો સંતાપ મટતો નથી કે ગુરૂ વગર જ્ઞાન મળી શકતુ નથી.


પ્રાચીન કાળમાં જ્યારે છોકરો સાત વર્ષની ઉંમરનો થાય ત્યારે તેના અભ્યાસાર્થે ગુરૂકુળમાં મોકલવામાં આવતો હતો, અને તેણે તેના જીવનના 25 વર્ષ સુધી ગુરૂના સાનિધ્યમાં પોતાનુ જીવન ઉચ્ચ બને તેના વિશેનુ જ્ઞાન મેળવે છે. જ્યારથી બાળક ગુરૂકુળમાં દાખલ થાય ત્યારથી ગુરૂ તેના માબાપનુ સ્થાન લેતા હતા. ગુરૂકુળમાં ગુરૂ તેને જીવન લક્ષી શિક્ષણ આપે છે. તેને ફક્ત પુસ્તકિયુ જ્ઞાન આપતા નથી પરંતુ તેના જીવનમાં આવનારા શારિરીક અને માનસિક સંઘર્ષો સામે કેવી રીતે લડવુ તે અંગેનુ જ્ઞાન આપે છે.


આજના આધુનિક સમયમાં આધુનિક સ્કૂલ અને કોલેજોમાં બાળકોને શિક્ષકો ફક્ત રોટલો કેવી રીતે કમાવવો તે અંગેનુ જ જ્ઞાન આપે છે. પરંતુ સાચો ગુરૂ બાળકને તેના જીવનને એક ધ્યેય આપે છે. તેનો અને ભગવાનનો સબંધ શો છે, દુનિયામાં તેના આવવાનુ કારણ શુ છે તે અંગેની સાચી સમજ આપે છે. તે કેવળ ધ્યેય આપતો નથી પરંતુ તેને તે ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે. ગુરૂ શિષ્યમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવે છે અને તે શક્તિનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરવો તેની સાચી સમજ આપે છે.


શુ ગુરૂ વગર આપણને આવા શક્તિશાળી લોકો મળ્યા હોત ?

પરંતુ આધુનિકતા અને ટેક્નોલોજીથી સજ્જ એવા લોકો દલીલો કરતા કહે છે કે ગુરૂની જરૂર શુ છે? માણસ જ પોતે પોતાનો ગુરૂ છે આવી તાર્કિક દલીલો કરે છે. પરંતુ મિત્રો થોડુ વિચારો કે રામ અને કૃષ્ણ જેવી સૂર્ય ચંદ્ર સહિત સમગ્ર બ્રહ્માંડને હલાવનારી શક્તિ પણ શિષ્ય કાળ માંથી પસાર થઈને ગુરૂ પાસે વિદ્યા ગ્રહણ કરે છે. સમગ્ર બ્રહ્માંડના રહસ્યોને જાણનાર અને સૃષ્ટીના સર્જન હાર પણ પોતે અજ્ઞાની છે તે રીતે ગુરૂ પાસે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જાય છે.


અરે કૃષ્ણને પોતાના સખા સમજવા વાળા અર્જુને પણ કુરૂક્ષેત્રના મેદાનમાં તેમનુ શિષ્યત્વ માન્ય કરે છે. હાલના કળિયુગમાં આપણે રામ રાજ્ય લાવવાની વાતો કરે છે તે રામ રાજ્ય પાછળ રઘુકુળના કુળગુરૂ વશિષ્ઠનો અથાક પ્રયત્ન રહેલો છે. જો સમર્થ રામદાસ ના હોત તો કદાચ આપણને શિવાજી ન મળ્યા હોત, અને ચાણક્યએ તો કહ્યું જ છે કે... શિક્ષક કદી પણ સામાન્ય હોતો નથી સર્જન અને પ્રલય બન્ને તેના ખોળામાં હોય છે.


ચાણક્યએ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય માનવીની અંદર રહેલી શક્તિઓને જાગૃત કરીને ધનનંદનો નાશ કર્યો હતો. આમ ગુરૂ શિષ્યમાં રહેલી આંતરીક શક્તિઓને બહાર લાવે છે. નરેન્દ્ર જેવા સામાન્ય યુવાનને સ્વામિ વિવેકાનંદ બનાવવા પાછળ રામકૃષ્ણ પરમહંસનો ફાળો બહુ મોટો છે. શીખ ધર્મ તો ગુરૂ પરંપરા પર જ ઉભેલો છે. શીખ ધર્મમાં થઈ ગયેલા દસ દસ ગુરૂઓએ ભારતની વિદેશી લોકો સામે રક્ષા કરવા પોતાના જીવનની આહૂતિ આપી દીધી હતી.


આજના કાળમાં આવા ગુરૂ મળવા શક્ય છે?

ગુરૂનુ મહત્વ જાણ્યા પછી થાય કે શુ આજના આવા કળિયુગમાં આપણને આવા સાચા ગુરૂ મળવા શક્ય છે? કૃષ્ણંવંદે જગત ગુરૂ પર શ્રધ્ધા રાખી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સાચી સમજણ આપનાર પાડુંરંગ શાસ્ત્રી કહેતા કે આજના કળિયુગમાં સાચા ગુરૂ મળવા કઠિન છે અને મળે તો તેને ઓળખવા બહુ કઠિન છે.

આજે ગુરૂ-શિષ્ય વચ્ચે બનેલી કેટલીક ઘટનાઓએ લોકોની આ પવિત્ર સબંધ પરની શ્રધ્ધાના પાયાને હચમચાવી નાંખ્યા છે. પાટણ કાંડ જેવી ઘટનાએ લોકોના મનમાં રહેલી ગુરૂ પ્રત્યેની છબીને તોડી નાંખી છે.


પરંતુ સમાજમાં બનતી આવી ઘટનાઓથી નિરાશ થવાની જરૂર નથી જો કો મનુષ્ય યોગ્ય ના હોય તો સૃષ્ટીમાં એવા કેટલાય તત્વો છે જેની પાસેથી આપણે જીવન વિકાસનુ જ્ઞાન મેળવી શકીએ છીએ. દત્તાત્રેય ભગવાને અજગર, વૃક્ષ, ધરતી, વેશ્યા વગેરેને તેમના ગુરૂ માન્યા હતા.મોરારી બાપુ તો કહે છે કે જો તમારે કોઈ ગુરૂ ના હોય તો હનુમાનને તમારા ગુરૂ માનવા.


જો કોઈ ના હોય તો કૃષ્ણ તો છે જ. કારણ કે કૃષ્ણ તો સમગ્ર જગતના ગુરૂ છે અને તેમણે ગાયેલી ગીતા તેમણે વિશ્વને આપેલો ગુરૂ મંત્ર છે.


ભારતીય સંસ્કૃતિ અને આઘ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુતત્ત્વ, ગુરુદેવનું મહત્વ-મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોત્કૃિષ્ટ છે. આથી જ ‘ગુરુપૂર્ણિમા’નું મહાપર્વ ભાવ વિભાર વાતાવરણમાં રસબસ બની ઉજવવામાં આવે છે. ગુરુની પૂજા, ચરણસ્પર્શ અને યશાશક્તિ ભેટ એ ગુરુપૂર્ણિમાનો મહાભાવ છે. આ પ્રસંગ એવો છે કે તે ઉજવીને ગુરુ પ્રત્યેનું આપણું ૠણ અદા કરવાનું છે. આ તો પવિત્ર પર્વ છે કારણ કે ગુરુ સદાએ શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે. અને શિષ્ય એમની કૃપા થકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે.

પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી. એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માઘ્યમતો જોઈએને ! એટલે ગુરુ પ્રત્યક્ષ દેવ છે. ભગવાને જ ગુરુરૂપી એક માઘ્યમ ઉભુ કરેલ છે શિષ્યનું અંતિમ ઘ્યેય પ્રભુપ્રાપ્તિ છે, જે ગુરુકૃપાથી સાપેક્ષ થાય છે. શિષ્ય જો ગુરુ ઉપર પૂર્ણ શ્રઘ્ધા રાખે અને અટલ-અચળ વિશ્વાસથી ગુરુ શરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ માટેની સર્વશક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે. અને ગુરુ શિષ્યનું કાર્ય કરવા શક્તિમગ્ન બને છે. ગુરુ શરણાગત જીવને સાધન બતાવે છે ? જીવનના લક્ષ્યની યાદ આપે છે, જ્ઞાન આપે છે ? તેમની કૃપાથી સુખસંપત્તિ તો મળે જ છે પરંતુ ભક્તિ અને પ્રભુકૃપા પણ મળે છે. માટે સાધક માટે સર્વપ્રથમ ગુરુ શરણાગતિ આવશ્યક છે. આમ ભૌતિક અને આઘ્યાત્મિક ક્ષેત્રોમાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય માનેલ છે. અષાઢ માસની પૂર્ણિમાને ‘‘ગુરુપૂર્ણિમા’’ કહે છે અને તે દિવસે મુનિશ્વર વેદવ્યાસની જન્મજંયતિ પણ છે. સદ્‌ગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અઘુરાં રહે છે. તેમણે આપેલા ગુરુમંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે. પ્રભુને પ્રભુદેવ કહેવામાં નથી આવતું, જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન - સન્માન - મોભો - બિરૂદ આપવામાં આવેલ છે.

બાળક જ્યારે પોતાની અબોધ અવસ્થામાં હોય છે ત્યારે માતા-પિતા વગેરે પરિવારજન પ્રેમાવિષ્ટ થઈને એની સંભાળ રાખે છે. એમના સહવાસમાં બાળકને સંસ્કાર મળે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે, અને પોતાની જાતે રમવા લાગે છે, હાવભાવ કરે છે. આગળ જતાં ઠીક ઠીક બોલવા લાગે છે. આ અવસ્થામાં માતા-પિતા વગેરે પરિવારજન એના માટે ગુરુનું કાર્ય કરે છે ? તેથી ય આગળ જતાં બાળક વિશેષ જ્ઞાન સંપાદન માટે વિદ્યાલયમાં જાય છે. અહીં એના વિદ્યાગુરુ અક્ષર જ્ઞાન કરાવે છે. ધીરે ધીરે તે શિક્ષિત બનીને અનેક વિષયોમાં પારંગત થઈ જાય છે. તંદતર એ પોતાની બુઘ્ધિ વૈભવથી અર્થોપાર્જન વગેરે કાર્યોમાં સફળ થતાં થતાં પોતાના લૌકિક જીવનને સુખમય બનાવવાના કાર્યોમાં લાગી જાય છે.

હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવવાળા સાક્ષાત ભગવાન ગુરુદેવ જ છે. પરંતુ પ્રત્યક્ષ ગુરુને પોતાના માઘ્યમ બનાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગાલોકેમાં પાછા ફરવાના હતા. ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે ‘‘હવે અમારું કોણ ? અમે એકલા પડી ગયા.’’ ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ્‌ ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્યો તેમની કૃપા મેળવી શકશે. આમ ભાગવતમાં તેમની સ્પષ્ટ આજ્ઞા છે કે - ‘‘આચાર્ય ગુરુને મારું જ સ્વરૂપ સમજવું અને કદાપિ પણ એમનો તિરસ્કાર ન કરવો. એમને સામાન્ય મનુષ્ય સમજીને દોષ-દ્રષ્ટિથી ન જોવા, કારણ કે ગુરુદેવ સર્વદેવમય હોય છે.’’ તાત્પર્ય એ છે કે ભગવદ્‌ કૃપાની પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થવું જોઈએ. સાથે સાથે ગુરુદેવમાં ંભગવદભાવ પણ રાખવો જોઈએ ત્યારેજ ગુરુ-શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે. ભાગવતમાં તો ગુરુનું પ્રમાણ છે પરંતુ વેદ, પુરાણ, શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે. ભગવદ્‌ગીતા કહે છે કે ‘‘કૃષ્ણ વંદે જગદ્‌ગુરુ.’’ કૃષ્ણ તો આખા જગતના ગુરુ છે જેઓ ગુરુરૂપી માઘ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે.

ભગવાન કૃષ્ણને સાંદીપનિ, શ્રીરામને વસિષ્ઠ ગુરુસ્થાન અને મોટા મોટા મહાત્માઓ, સંતો અને ભક્તોને પણ ગુરુ હોય છે. શિષ્યને જો પોતાના સ્વરૂપ અને કર્તવ્યનો બોધ મળી જાય તો ગુરુનુ દિવ્ય સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. ‘‘સદ્‌ગુરુ દેવકી જય’’ બોલાય છે. સદ્‌ એટલે સાચું અને સાચું એટલે સત્ય. વળી સત્ય એટલે પ્રભુ પોતે આમ ગુરુ - ગોવંિદ સમાન ગણવામાં આવેલ છે. કેટલાકના મતે તો ગુરુને ગોવંિદથી ઉપર ગણેલ છે. રામ કરતાં રામના નામનાં વધારે શક્તિ છે તેમ ગોવંિદ કરતાં તેમના સ્વરૂપે બિરાજતા ગુરુમાં ગોવંિદે વઘુ શક્તિ પ્રદાન કરેલ છે.

જેમ ભક્ત અને ભગવાનનો સંબંધ નિષ્ઠા અને અનન્યતા પર નિર્ભર છે તેમ ગુરુ અને શિષ્યના સંબંધનું પણ છે. નિષ્ઠા અને અનન્યતા શુ કરી શકે છે તેનો સુંદર દાખલો છે કે શ્રી કૃષ્ણની બંસરીના અવતાર શ્રી હિતહરિવંશ મહાપ્રભુજીની પ્રશંસા સાંભળીને શ્રીદામોદારદાસ સેવકજી મહારાજે તેમને જોયા નહોતા- મળ્યા નહોતા- દર્શન કર્યો નહોતાં છતા અનન્ય નિષ્ઠાથી મનોમન મહાપ્રભુજીને સેવકજીએ ગુરુ તરીકે સ્વીકારી લીધા. થોડા સમય પછી જ્યારે શ્રીસેવકજી મહાપ્રભુજીને વૃન્દાવનમાં તેમને મળવા ગયા ત્યારે મહાપ્રભુજી શ્રીરાધારાણીની સેવામાં નિકુંજમાં પધારી ગયા હતા. પરંતુ સેવકજી તો પૂર્ણ નિષ્ઠાથી ગુરુભક્તિમાં બેસી ગયા. પરિણામ સ્વરૂપ શ્રીહરિવંશ નિકુંજમાંથી આવીને, શ્રીસેવકજીને સ્વપ્નમાં દર્શન આપી, ગુરુમંત્ર આપ્યો, અને વાણી રચનાની શક્તિ પણ આપી. જેના આધારે સેવકજીએ ‘‘સેવકવાણી’’ નામક સિઘ્ધાંત ગ્રંથની રચના કરી દીધી. આવી રીતે એકલવ્યજીનો દાખલો પણ જગજાહેર છે. ગુરુ શબ્દમાં ‘ગુ’ કાર એ અંધકાર છે. ‘રુ’ કાર એ રાધેનાર છે. અંધકાર (અજ્ઞાત)નો નાશ કરે છે માટે જ તેઓ ગુરુ કહેવાય છે.

જો કે આ જગતમાં જનની, જનક અને ગુરુનું ૠણ કદી ચુકવી શકાતું નથી. સંસ્કૃતિના ઈતિહાસમાં ગુરુપૂજનનો મહીમા છે. પૌરાણિક ઈતિહાસ મુજબ સૌપ્રથમ ભગવાન વેદવ્યાસનુ પૂજન નૈમિષ્યારણ્મમાં વસતા સૌનક ૠષિએ કહ્યું હતું. વર્ષોની સાધના- ઉપાસના કરવા છતાં સૌનક ૠષિને પ્રભુની અનુભૂતિ નહોતી થતી. વેદવ્યાસે દિવ્યદ્રષ્ટિ આપી. તેથી તેમને આત્મજ્ઞાન થયું. એટલે ૠષિએ તેમને ગુરુમાની પૂજન કર્યું. ત્યારથી ગુરુની મહત્તા વધી ગઈ. ગુરુ આદિ-અનાદિ છે. ગુરુની કૃપાએ મોક્ષનું કારણ છે ગુરુએ શિવનું જીવંત રૂપ છે તથા તેમનાં ચરણ તીથોનો આશ્રય છે. ગુરુના ત્રણ સ્વરૂપ છે. શિષ્યનું અંકુરણ કરે તે પહેલું સ્વરૂપ. પ્યારવાળું જોડવાનું કામ કરે તે વરૂણ બીજુ સ્વરૂપ. ત્રીજુ સ્વરૂપ સોમ સ્વરૂપ છે. ‘સોમસ્તુચન્દઃ,’ સોમ એટલે ચંદ્ર. ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક છે સદ્‌ગુરુ. દત્તાત્રેયે જેમનામાં જે સારું લાગ્યું તે લીઘું અને ચોવીસ ગુરુ કર્યા હતા.

ગુરુ સાકાર ઈશ્વરીય પ્રતિમા છે. ‘‘ગુરુ કીજે જાનકાર ઔર પાની પીજે છાન’’ પ્રમાણે ગુરુ સમજીને કરવા જોઈએ. પરંતુ એક વખત ગુરુ કર્યા પછી તેમનામાં અનન્ય નિષ્ઠા રાખવી જોઈએ. આજના જમાનામાં તો પહેલી દ્રષ્ટિએ ઘણા લોકો ગુરુ-શિષ્યની પરંપરાને માનતા નથી. પરંતુ આઘ્યાત્મિક પરંપરામાં સુદ્દઢ માન્યતા છે કે સમય પાકે ત્યારે સાધકને તેમના ગુરુ મળે જ છે. ગુરુ-શિષ્યનો સંબંધ માત્ર એક જન્મ પૂરતો જ મર્યાદિત નથી હોતો. આ સંબંધ જન્મોજન્મનો હોય છે. ગુરુનું દિલ મોટું હોય છે. ગુરુપૂર્ણિમાએ આશીર્વાદ સહગુરુ તેમની તપસ્યાનો એક અંશ આપે છે જે શિષ્યને માટે અમૂલ્ય બની રહે છે. તેમ ગમે તેટલું કરો પણ ગુરુ વિના પૂર્ણજ્ઞાન ન મળી શકે. સંતોના વચન પ્રમાણે જો હૃદયમાં પૂર્ણ શ્રઘ્ધા અને નિષ્ઠા, વિશ્વાસ હોય તો ગુરુદ્વારા ગોવંિદની સો ટકા અનુભૂતિ થાય છે.

ગુરુના મહત્વની વાત ન્યારી છે. શ્રીકૃષ્ણ ભગવાને પણ ગુરુદક્ષિણમાં ગુરુમાતાને તેમનો પુત્ર (સંસારના નિયમો તોડીને) પાછો લાવી આપ્યો હતો. કોઈ એમ કહેકે હું ગુરુમાં માનતો નથી. પરંતું તમે જ્યારે આપત્તિકાળમાં તમને વિશ્વાસ હોય તેમની પાસે સલાહ લેવા જાવ, અને એ જે સલાહ આપે તે ગુરુકર્મનો એક ભાગ થયો કહેવાય. પરંતુ આઘ્યાત્મિક ગુરુની તો અનિવાર્યતા છે.

ગુરુ છે બ્રહ્મા, વળી ગુરુ જ વિષ્ણુ અને ગુરુ છે દેવ મહેશ્વર

ગુરુ તો ‘સાક્ષાત’ પરબ્રહ્મ છે, તેવા ગુરુજીને કરીએ નમસ્કાર.

તો આવો ‘‘ગુરુપૂર્ણિમા’’નું મહાપર્વ પૂર્ણ નિષ્ઠા-શ્રઘ્ધા-અનન્યતા- વિશ્વાસથી ભક્તિમાં રસબસ થઈ ઉજવીએ અને ધન્ય ધન્ય બનીએ।----

Thursday 24 March 2022

ચાંપરાજ વાળો (ગામ ચરખા)

ચલાળા ગામમાં એક કાઠીને ઘેર કારજનો અવસર છે. ભેળા થયેલા મહેમાનોમાં ચરખેથી ચાંપરાજ વાળો આવેલ છે, અને ટીંબલેથી હાથીઓ વાળો ને જેઠસૂર વાળો નામે બેય ભાઈ હાજર થયા છે. ચારસો પાંચસો બીજા કાઠીઓ પણ વાળાકમાંથી, પાંચાળમાંથી ને ખુમાણ પંથકમાંથી આવ્યા છે. એવો અડાબીડ ડાયરો ડેલીએ બેઠો છે, તે વખતે જુવાન ચાંપરાજ વાળાએ વાત કાઢી:– “આપા હાથીઆ વાળા ! ઠીક થયું, તમે આંહી જ મળી ગયા. મારે ટીંબલાનો આંટો મટ્યો.” “ભલેં, ભલેં, બા ચાંપરાજ, બોલ્ય, શું કહેવું છે ?" “કહેવું તો એટલું જ, કે અમારી રૂપદેબાઈ બે'નને રોટલા પાણીનું દુઃખ શીદ દ્યો છે ? એની જીવાઈ કાં ચૂકવતા નથી ? બેનડી બિચારી ચરખે આવીને રાતે પાણીએ રોતી'તી ! ” આટલા બધા નાતીલાઓની વચ્ચે ચાંપરાજ વાળાએ પોતાની ફુઇની દીકરીને ટીંબલાના પિત્રાઈઓ તરફથી મળતાં દુઃખની વાત ઉચ્ચારતાં, ટીંબલાના બન્ને ગલઢેરાને પોતાની ફજેતી થઈ લાગી. જેઠસૂરે અરણા પાડા જેવો કાંધરોટો દઈને જવાબ દીધો. “આપા ચાંપરાજ વાળા, તું તે આંહી તારી ફુઈની દીકરીને જીવાઈ અપાવા આવ્યો છે, કે કારજે આવ્યો છે ?” “બેય કરવા, આપા જેઠસૂર ! એના ચોરાસી ગામના વારસદાર ધણી માત્રા વાળાને મોજડીયુંમાં ઉંટીયું ઝેર દઈને એક તો મારી નાખવો, અને પછી આ રંડવાળ કાઠીઆણીને રોટલાનું બટકુ ય ખાવા ન દેવું, એ કાંઈ કાઠીની રીત કહેવાય ! જીવાઈ તો કાઢી આપવી જોશે બા !” ચાંપરાજ ટાઢે કોઠે બોલતો ગયો. “તારે કહ્યેથી જ કાંઈ જીવાઈ નીકળી જાય છે, ચાંપા ?” “તો પછી મારે ચાઈને ટીંબલાનો આંટો ખાવો જોશે.” “તો ભલે બા ! ખુશીથી આવવું.” “તો આજથી સાતમે જમણ તમે સાબદાઈમાં રે'જો.” એમ સામસામી વચનની બરછીઓ વછૂટતાં જ સહુને ફાળ પડી કે મામલો હાથ બહાર વહ્યો જાશે, એટલે ઘરનો ધણી ઉઠીને પાઘડી ઉતારી બેય પક્ષ વચ્ચે ઉભો રહ્યો. બેયને ઠાર્યા. પણ પછી કારજમાં ચાંપરાજ વાળાને કાંઈ સ્વાદ ન રહ્યો. રોંઢો થયો ને તડકા નમ્યા, એટલે ઘોડે ખડીયા નાંખી ચાંપરાજ વાળાએ રાંગ વાળી. રવાના થતાં થતાં કહ્યું કે “આપા હાથીઆ વાળા ને જેઠસૂર વાળા ! સાબદાઈમાં રે'જો હો, સાત જમણે અમે નક્કી આવશું.” પોતાના કુટુંબની એક નિરાધાર કાઠીઆણીનો પક્ષ લેવા માટે એટલા ચકમક ઝેરવીને ચાંપરાજ વાળો ચરખે આવ્યો. બે દિવસ વીતી ગયા પછી એના ચિત્તમાં વિચાર ઉપડ્યો કે “બોલતાં બોલાઈ તો ગયું, પણ હવે ચડવું શી રીતે ? ટીંબલાના જણ છે જાડા, એને કેમ કરીને પહોંચાશે ?” “બાપુ, વિચારમાં કેમ પડી ગયા છે ?” ચાંપરાજના મકરાણી જમાદારે વાત પૂછી. “જમાદાર, ટીંબલા માથે ચડવાની જીભ કચરાઇ ગઈ છે.” “તે એમાં શું બાપુ ? આંટો ખાઈ આવશું. કયે જમણે ?” “દિતવારે” “ઠીક. પણ મને લાગે છે બાપુ, કે કદાચ ટીંબલાવાળાએ માન્યું હશે કે ચાંપરાજ વાળો થુંક ઉડાડી ગયો. બોલ્યું પળશે નહિ. એમ સમજીને હાંસીમાં કાઢી નાખશે. અને તૈયારીમાં નહિ રહે. માટે પ્રથમથી ખબર દઈ મોકલીએ.” એ રીતે પ્રથમથી સમાચાર મોકલાવ્યા કે “દિતવારે આવીએ છીએ.” પણ ટીંબલાના દાયરામાં સામતવાળા નામે એક ગલઢેરો હતો. ચાંપરાજ વાળાને અને સામત વાળાને જળ–મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ: ચાંપરાજે એ ભાઇબંધને કહેવરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દિતવારે ઘરે રહીશ મા.” માંડવડેથી કાંધો વાળો, વરસડેથી બીજો કાંધો વાળો, વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથીઆર ૫ડીઆર બાંધીને ચોરે બેઠક કરી, બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઉના રોટલા, ગોરસ અને ખાંડેલી સાકરના ત્રાંસ ભાતલાં પીરસવા સારૂ તૈયાર ટપકે થઈ ગયાં, અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબેાસબ ! કંસુબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી નીચે કુદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી છુટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી. માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કૈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા. ચાંપરાજ વાળાનો દાયરો ચોરા માથે ચડે ત્યાં તો કસુંબલ અમૃતની છલોછલ ખરલો ભરેલી દીઠી. માણસોએ પૂછ્યું “બાપુ, લેશું , કંસુબો ?” “હા બા, એમાં શું ? બાપના દીકરાનો કસુંબો છે ને ?” સહુ શત્રુના ઘરનો કસુંબો લઈને પછી દરબારગઢ ઉપર ગયા. “ખબરદાર !” ચાંપરાજે પોતાના સંગાથીઓને ચેતાવ્યા. “આપણે ગામ લૂટવા નથી આવ્યા. બહેનને જીવાઈ કઢાવી દેવા આવ્યા છીએ, એટલું ભૂલશો મા કોઈ.” એટલું બોલીને ચાંપરાજ ડેલીએ દાખલ થાય ત્યાં બે બુઢ્ઢીઆ કાઠી ચોકીદારોને ઉઘાડી તરવારે ઉભેલા દીઠા. “ડોસલ્યો ! ખસી જાવ.” ચાંપરાજે શીખામણ દીધી. રૂપાનાં પતરાં જેવી ધોળી દાઢી, મૂછ ને પાંપણોવાળા કાઠીઓ બોલ્યા “ખસી ગયે તો સાત જન્મારાની ખેાટ બેસે આપા ચાંપરાજ વાળા ! અને ચાંપરાજ વાળો ઉઠીને આ ટાણે અમને ખસવાનું કહે છે.” “અરે ડોસલ ! આંહી દીકરાના વીવા નથી, તે તાણ્ય કરવા બેસીએ ? માટે ખસો. નીકર ધોળામાં ધૂળ ભરાણી સમજજો !” ધોળાં ધોળાં નેણ ઉચાં ચડાવી, ધેાળી પાંપણો ને અરધીક ઉધાડી, પાણીદાર અને પલળેલી આંખો તગમગાવી, બને બુઢ્ઢાએ બુઢ્ઢાપાની ધ્રૂજતી ગરદનો ટટ્ટાર કરતાં કરતાં જવાબ વાળ્યો કે “ચાંપરાજ ! ધોળામાં ધૂળ તો આજ ખસી ગયેથી ભરાઈ જાય, ને ડોકાં ધરતી માથે રડ્યે તો અટાણે અમારે સરગાપરની વાટ ઉઘડી જાય. માટે તું તારે જે કરતો હો ઈ કર, ને અમને ય અમારૂં મનધાર્યું કરવા દે. અમારા ઘડપણની ઠાલી દયા ખાઇશ મા, મલકના ચોલટા !” એમ કહીને બેય બુઢ્ઢા ઘાએ આવ્યા. બેય સોનાનાં ઢીમ સરીખા નોકરોને ઢાળી દઈને ચાંપરાજ વાળો દરબાગઢની અંદર ચાલ્યો. એારડે જાય ત્યાં ઉંચી ઉંચી ઓસરીને કાંઠે રૂપબાઇ ઉભેલાં. રૂપબાઈએ વીરનાં વારણાં લીધાં. ચાંપરાજ બોલ્યો કે “બ્‍હેન, તમારે જે કાંઈ લૂગડાંલતાં, દરદાગીનો અને ઘરવખરી લેવી હોય તે નોખી તારવી લ્યો." ગાડાં આવીને હાજર થયાં એમાં રૂપદેબાઈનો માલ ભરાયો. અને એક માફામાં રૂપબાઈને બેસાર્યા. ત્રણ કાઠી અસવારોને ચાંપરાજ વાળે હુકમ કર્યો કે “બેનની સાથે જાવ. જો રસ્તે ક્યાંય ટીંબલાવાળા આડા ફરે તો ત્યાં ને ત્યાં કટકા થઈ જજો. વાવડ દેવા ય પાછા વળશો મા.” “બાઈયું, બેન્યું ! ” ગઢની કાઠીઆણીઓને ચાંપરાજે હાથ જોડીને કહ્યું, “તમે કોરે ખસી જાવ. અને તમારા દાગીના કાઢી દ્યો. રૂપદેબાઇની ચડત જીવાઈ પણ ચુકવવી જોશે.” હાકલ પડતાં જ કાઠીઆણીઓ પોતાની કાયા માથેથી એકેએક દાગીના ઉતારી ઢગલો કરવા મંડી. અને ચાંપરાજ વાળો આઘેરો જઈ ઉભો રહ્યો. ત્યાં એક બાઈએ ચાંપરાજ વાળાના અસવારને કહ્યું. “ભાઈ, કડલાં સજ્જડ ભીડાઈ ગયાં છે, નીકળતાં નથી.” “તો કાપવો પડશે પગ ! ” ત્યાં તો ગઢની પછીત પાછળથી “હેં........! પગ કાપવો છે ! ” એવી ત્રાડ સંભળાણી. અને ઉઘાડી તલવારે એક પડછંદ આદમી છલાંગ મારીને દોડતો આવ્યો. “કોણ સામત !” ચાંપરાજ વાળે ચકિત થઈને પૂછ્યું. “હા બાપ, હું સામત ! મને તેં એાળખ્યો ભેરૂ ? ના ના, સાચી ઓળખ નો'તી પડી ! ” “અરે સામત ! તું હજી અાંહી ?” એમ કહી ચાંપરાજ વાળો આડો ફર્યો. “હું અાંહી ન હોત તો મારે કપાળે કાળી ટીલી ચોંટત. પણ હું વખતસર ચેત્યો, ચાંપરાજ ! લે, હવે ઝટ તલવાર લે.” “સામત ! સામત ! ” પણ સામત વાળો ન માન્યો. તલવાર લઈને હનુમાન જેવો છલાંગ દેતો આવ્યો. ત્યાં તો ચાંપરાજનું આખું કટક એને વીંટાઈ વળ્યું. ફડાફડ ઝાટકા પડ્યા. “અરે હાં ! હાં ! રેવા દ્યો ! ” એમ ચાંપરાજ બેાલતો રહ્યો, ત્યાં તો સામત વાળાના રામ રમી ગયા. “કોપ કર્યો. સામત ને મારવો પડ્યો ! ” એમ બોલતાં બોલતાં ચાંપરાજ વાળાના અંતરમાં બહુ વસમું લાગ્યું. પણ ત્યાં તો ટાણુ સારી રીતે થઈ ગયું. એટલે આખું કટક અમરેલીની ફોજની બીકે ચાલી નીકળ્યું. ત્યાંથી જ પરબારો ચાંપરાજ વાળો બારવટે નીકળી ગયો. ઘોડાના પગમાં ઘૂઘરા, સાવ સોનેરી સાજ લાલ કસુંબલ લુગડાં, ચરખાનો, ચાંપરાજ ગીરમાં ડેડાણ અને ખાંભાની પડખે, ડુંગરીયાળ પ્રદેશમાં એક નાનો પણ વંકો ડુંગર છે, જેનું નામ છે ભાણીઆનો ડુંગર. એ ડુંગરની એક બાજુ કેડો છે, અને ત્રણ બાજુ ગટાટોપ ઝાંખરાં ઝાડવાં જામી પડ્યાં છે. ભાગતાં ભાગતાં ચાંપરાજ વાળાએ આ ભાણીઆના ડુંગર માથે ઓથ લીધી. એક પોતે, અને નવ પોતાના પગારદાર મકરાણીઃ એટલા જણે ડુંગર માથે ચડીને મોરચા ગોઠવ્યા. થોડી વારમાં તો – ધારી અમરેલીની ગાયકવાડી ગીસ્તે આવીને ડુંગરને ઘેરી લીધો. મકરાણીનો જમાદાર બોલ્યો “બાપુ, આ ઘાંસીઓ પાથરી દઉ છું તેના પર તમે તારે બેસી રહો, અને અમને બંધુકું ભરી ભરીને દેતા જાવ. ભડાકા તો અમે જ કરશું.” દસે બંદૂકો એક પછી એક ભરી ભરીને ચાંપરાજ વાળો આપતો જાય છે અને મકરાણીનો જમાદાર “બાપુ બીવારૂ છું. હો” એમ કહીને, ડુંગર ઉપર ચડવા આવનારાઓને ફુંકતો જાય છે, એમ થાતાં થાતાં તો બે જુવાન મરણીયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂક લઈને ડુંગર ઉપર ચડતા જોયા. “ બાપુ ! ” જમાદાર બેાલ્યો. “હાથના અાંકડા ભીડીને બે ગોરા ચડ્યા આવે છે. ઉડાડું ? ” “ના ભાઈ, ગોરાને માથે ઘા રે'વા દેજે.” “પણ બાપુ, ઈ તો અા પોગ્યા. અને હમણાં આપણને ધ્રબી નાખશે.” “ઠીક ત્યારે ઉડાડ, થાવી હોય તે થાશે !” મકરાણીની બંદૂક વછૂટી. અને એની ગેાળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાછલી તોડતી ગઈ. વીકે સરવૈયા વાઢીઆ, રણગેલા ૨જપૂત ભાણીઆને ડુંગ૨ ભૂત, સાહેબને સરજ્યો, ચાંપરાજ [વીકાએ તો સરવૈયા રજપૂતોને વાઢ્યા. પણ હે ચાંપરાજ ! તેં તો ભાણીયાના ડુંગર ઉપર સાહેબને અવગતિએ મારીને ભૂત સર જાવી દીધો. ] ડેરે બોકાસાં દીયે, કંડી મઢ્યમું કોય જગભલસા'બ જ કોય, ચૂંથી નાખ્યો ચાંપરાજ [સાહેબની મડમો એના ડેરા તંબુઓમાં વિલાપ કરે છે. કેમકે તેં તો જે કોઈ સાહેબને દીઠો તેને ચુંથી નાખ્યો છે.] તેં દીધી ફકરા તણા એવી ભાલાની આણ મધ ગરમાં મેલાણ, સાહેબ ન કરે ચાંપરાજ [ફકીરા વાળાના પુત્ર ! તેં તો ગિરની અંદર તારા ભાલાની એવી હાક બેસારી દીધી છે કે કોઈ ગોરો સાહેબ મધ્ય ગિરમાં મુકામ કરી શકે તેવું નથી.] ગોરાનું લોહી છાંટતાં તો હાહકાર વાગી ગયા. અને ડુંગર ફરતી સાતથરી ચોકીઓ મુકાઈ ગઈ. ચાંપરાજ વાળો સમજ્યો કે “આમાં જો ઝલાઉં, તો કૂતરાને મોતે મરવું પડે.” ભૂખ્યા ને તરસ્યા બહારવટીયા ભાણીયાને ડુંગર ભરાઈ રહ્યા. એમાં એક દિવસ ડેડાણના કોટીલા કાઠીઓએ રાતમાં આવી, પછવાડે ગીચ ઝાડીમાંથી છાનો માર્ગ કરી, ચાંપરાજ વાળાને એના નવ મકરાણી સાથે ઉતારી લીધો. પછી કહ્યું કે “હવે મંડો ભાગવા, દેશ મેલી દ્યો.” “અરે બા ! એમ ભાગવા તે કેમ માંડશું ? સહુને સૂરજ ધણીએ બબે હાથ દીધા છે.” એટલું બોલીને ચાંપરાજે મકરાણીઓને લઈ ગાયકવાડનાં ગામડાં ઉપર ત્રાસ વર્તાવવાનું આદરી દીધું. ગામડાંની અંદર લોટા ઝોંટા કરી ગાયકવાડનાં હાંડા જેવાં રૂડાં ગામડાને ધમરોળી નાંખ્યાં. વાંસે વડોદરાની ફોજો અાંટા દેવા લાગી. પણ ચાંપરાજને કોઇ ઝાલી શકયા નહિ. ચાંપરાજ વાળાએ પણ ગામડાને ખંખેર્યા પછી એક દિવસ પોતાના સાથીઓને વાત કરી “ભાઈ હવે તો ઘેંસનાં હાંડલાં ફોડી ફોડીને કાઈ ગયા છીએ. હવે તો દૂધ ગેોરસ માથે મન ધ્રોડે છે.” “એટલે શું ચાંપરાજ વાળા ? અમરેલી ધારીને માથે મીટ મંડાય એવું નથી હો ! પલ્ટનું ઉતરી પડી છે વડોદરેથી.” સંચોડી ગાયકવાડી જ અાંહી ઉતરી આવે તોય કાંઈ ઈ મોજ જાવા દેવાય છે ? માટે હાલો અમરેલી. દેવમુનિ જેવાં ઘોડાં રાંગમાં છે એટલે રમવાનું ઠેપ પડશે બા ?” કેાઈ પણ રીતે ચાંપરાજ ન માન્યો. અને અમરેલીની વડી ને ઠેબી બબ્બે નદીઓનાં પાણીમાં ઘોડીઓને ઘેરવી, સમી સાંજના સૂરજને સમરી માળા ફેરવવી, ને દીવે વાટ્યું ચડતી વેળાએ ગામના કાળા કાળમીંઢ પત્થરના ગઢકિલ્લાનાં બારણાં તોડવાં, એવો મનસૂબો કર્યો. અમરેલી આવજી અભંગ ભડ ૨મવા ભાલે (તે દિ') મરેઠીયુ રંગમોલે ચાંપાને જોવા ચડે. [એ શુરવીર ચાંપરાજ ! તું ભાલાની રમત રમવા અમરેલી ગામની બજારોમાં દાખલ થાય છે, ત્યારે તને નિરખવા માટે, ઉંચી મ્હેલાતોમાંથી મરાઠા અધિકારીઓની સ્ત્રીઓ ડોકાં કાઢી રહી છે.] ધોળે દિવસે પણ અમરેલીની બજારો ઉજ્જડ થવા લાગી. ચાંપરાજને ભાલે ભલભલા જવાનો વીંધાવા માંડ્યા. અને લૂંટનો અઢળક માલ ચરખા ભેળો થવા લાગ્યો. દખણી ગોવિંદરાવ ડરે, રંગમોલમાંય રાડ્ય કાઠી નત્યો કમાડ, ચોડે બરછા ચાંપડો. [ગોવિંદરામ નામનો સૂબો (અથવા તો મહારાજ ગોવિંદરાવ ગાયક વાડ) ચાંપરાજના ભયથી મુંઝાવા લાગ્યો. રાજમહેલમાં બુમો પડે છે. કેમકે ચાંપરાજ વાળો છેક કમાડ ઉપર બરછી મારીને ચાલ્યો જાય છે.] [૧]ચાંપા ફકરા સિંહરા, રંગ થોભા પ્રજરાણ બડોદરે ભડ બંકડા, પાડ્યો ધવે પઠાણ [સિંહ સરખા કાઠી ફકીરા વાળાના પુત્ર ચાંપરાજ વાળા ! કાઠીની ત્રણે પરજો (ખાચર, ખુમાણ, વાળા)ના રાણા ! રંગ છે તારા થોભાને ! કેમકે તેં તો હે બંકા મરદ ! વડોદરાની બજારમાં જઇ ગાયકવાડના પઠાણ કોમના લશ્કરી અમલદારને ધબ્બો મારીને ધૂળ ચાટતો કરી દીધો. ] કલ૫ દીધેલ જાંબુવરણા ઘાટા થોભાવાળો એક આદમી એકલ ઘોડે એક ઉંડા વોંકળાની ભેખડની ઓથે બેઠો છે. બાજુમાં ઘોડી હમચી ખુ઼ંદી રહી છે. અને 'ધીરી બાપા ! ધીરી રેશમ !' એવે સ્વરે ઉતાવળી થાતી ઘોડીને ટાઢી પાડતો પાડતો અશવાર, પોતાના ખડીયામાંથી ખરલ કાઢીને કસુંબો ઘુંટે છે. ભમ્મર ભાલો, ભેખડને થડ ટેકવેલ છે, તે તરવાર તો પૂજાના પુષ્પ જેવી આ દુહો એમ બતાવે છે કે ચાંપરાજ વાળો વડોદરાની લુંટ કરવા પણ ગયો હશે. સન્મુખ જ પડેલ છે. સુરજ મહારાજ સોનાવરણા થઈને આભમાં એનો સાત ઘોડાનો રથ ઉતાવળે હાંકવા માંડ્યા છે. "રંગ હો ! રંગ હો ! રંગ હો સૂરજ રાણ !” એમ ત્રણ વાર કસુંબો ઉગમણી દિશામાં છાંટીને જેમ અસવારે ત્રણ રંગ દીધા, તેમ વોંકળાની ભેખડ ઉપરથી ગીસ્ત ઉતરી : મોખરે મોટા દાઢીમૂછાળા આગેવાનો : પચીસ પચીસ ઘોડેસવારો અને સો એક પગપાળા બરકંદાજો ! “એ આવો બા આવો ! કસુંબો પીવા ઉતરો !” એમ ભેખડને થડ બેઠેલા એકલ આદમીએ આગ્રહ કર્યો. "ઉતરાય એમ તો નથી ભાઈ ! મરવાનું યે વેળું નથી.” એમ ગીસ્તના મોવડીએ જવાબ દીધો. “કાં એવડું બધું શું છે ?” “આ ચાંપરાજ વાળો અમરેલી ભાંગીને જાય છે, એને અધરાતના ગોતીએ છીએ.” “અરે ભાઈ ! મારૂં ગામ પણ ચાંપરાજે આજ રાતમાં જ ભાંગ્યું છે. હું ય અમરેલી જાહેર કરવા જાતો'તો. ચાંપરાજે તો અરેરાટ વર્તાવ્યો છે. પણ શું કરીએ ? કસુંબો પીધા વન્યા કાંઈ છૂટકો છે ? ઉતરો ઉતરો બા ! આથમ્યા પછી અસૂર નહિ !” ગીસ્તને તો એટલું જ જોતું હતું. ઉતર્યા. ઘાસીયા પથરાયા. મ્હોં ધોઈને કોગળા કર્યા. કસુંબો પીધો. પછી એકલ આદમીએ વાત છેડી : “હેં બા ! આમાં તમને ક્યાંઇક ચાંપરાજ ભેટ્યો હોય તો શું કરો ?” ગીસ્તના માણસો અડખેપડખે જોવા લાગ્યા. “સાચું કહું દરબાર ?” મુખ્ય માણસ બોલ્યો. “હા, કહો !” “પ્રભાતનો પહોર છે. મ્હોંમાં પારકો કસુંબો છે. સાચું કહું છું કે અમે એને ફક્ત રામ રામ કરીને તરી જાઈએ." “કાં ? સરકાર રોટલા પૂરે છે ઈ શેના ?” “એ ભાઇ ! ચાંપરાજ વાળો બારવટે નીકળ્યો છે એટલે જ સરકાર આટલી મોટી ફોજને રોટલા આપે છે. કાલ્ય જો ચાંપરાજ વાળો સોંપાઈ જાય, તો આ તમામ બચરવાળ માણસોને નોકરીમાંથી રજા મળે. માટે સારા પ્રતાપ ચાંપરાજ વાળાના બારવટાના !” એકલ આદમીએ આ જવાબ સાંભળીને મ્હોં મલકાવ્યું. ખડીયામાંથી ડાબલો કાઢ્યો. ડાબલામાં સોના મહોરો ભરી હતી. ગીસ્તના અગ્રેસરના ખેાળામાં ડાબલો મૂકી દીધો. “આ શું ? જમાદાર ચમક્યો. “આ તમારી જીભ ગળી કરવા માટે.” “કાં ?” “તમે દુવા દીધી માટે.” “કોણ ચાંપરાજ વાળો તો નહિ ?” “હા, એ પોતે જ. લ્યો હવે રામરામ છે.” એટલું કહી ચાંપરાજે છલાંગ દીધી. પલકમાં ઘોડી ઉપર પહોંચ્યો. માણસો જોતા રહ્યા, અને ચાંપરાજે સામી ભેખડ પર ઘોડી ઠેકાવી. હવે ?” ચાંપરાજ વાળાએ મકરાણી જમાદારને કહ્યું “હવે શું કરવું ? માથે ગોરાનું ખુન ગડગડે છે. ધરતી આપણને ક્યાંય સંઘરતી નથી.” “તો બાપુ, હાલો મારા મલકમાં – મકરાણમાં.” “ત્યાં શું કરશું ?” “ત્યાં તું મારો ઠાકર ને હું તારો ચાકર.” “પણ ત્યાં જઈને મારૂં નામ શું રાખવું ?” “નામ તો સુલેમાન અસમાન !” “તો મારે બે બાપના નથી થાવું. તું તારે તારાં માણસો લઈને ચાલ્યો જા ભાઈ ! મારે વળી સુરજ ધણીનું ધાર્યું થશે.” નવે જણા ભીમોને ભેાજ ખાચરની ડેલીએ ગયા અને ચાપરાંજ વાળો એક બે કાઠીઓને લઈ જેપુરમાળવાને માથે ઉતરી ગયો. એક દિવસ કચારીની અંદર જેપુર મહારાજની નજર આઘે આઘેના ખુણામાં બેઠલા એક આદમી માથે મંડાઈ ગઈ છે. માથેથી ગેાથું ખાઈને પાછા વળેલા દાઢીના કાળા કાતરા: ઉજળો, કંકુવરણી ઝાંય પાડતો મ્હોંનો વાન: ભેટમાં કટારી: ડોકમાં માળા : એવો ચોક્ખો ચારણનો દિદાર હોવા છતાં મહારાજે એના મોરામાં કંઇક નોખા જ અક્ષરો વાંચ્યા. મહારાજે હુકમ કર્યો કે “ઓલ્યા આદમીને આંહી લાવો તો !” એ આદમીએ મહારાજની ગાદી સામે આવીને નીચા ઝુકી સલામ કરી. કેવા છો ? મહારાજે પૂછ્યું. “ચારણુ છું.” “ક્યાં રે'વાં ?” “કાઠીઆવાડમાં.” વિચાર કરીને મહારાજ ઉભા થયા. “ગઢવા આંહી આવજો તો ! એમ કહી, એ આદમીને તેડી પાસેના ઓરડામાં ગયા. જઈને એકાંતે પૂછ્યું. “તમે ગઢવા નથી. ચારણ કોઈ દિ' સલામ ન કરે. પણ એાવારણાં લ્યે. માટે તમે વેશ ધારી છો. બોલો કોણ છો ?” “કાઠી છું.” “નામ ?” “ચાંપરાજ વાળો. ” “ચાંપરાજ વાળા, તમારે માથે ગોરાનાં ખૂન છે. અને અટાણે સરકારની બેસતી બાદશાહી છે. તમે આંહી રહો તો જેપુરની ગાદીને જોખમ છે. માટે નીકળી જાઓ. નાણું જોવે તેટલું ખુશીથી લઈ જાજો.” ત્યાંથી ચાંપરાજ વાળાનાં અંજળ ઉપડ્યાં.નીકળીને એ માળવામાં આવ્યો : જ્યાં અજર મે'ઝર્યા કરે છે, અને જે 'રાંકનો માળવો' કહેવાય છે, એવા એ રસાળ મુલકમાં ચાંપરાજ વાળો ચારણ વેશે હાવા ગામના એક પટેલને ઘેરે સંતાઈ રહ્યો. પોતાની વ્હાલપભરી ખાતર બરદાસ્ત કરનારા પટેલને ચાંપરાજ વાળાએ કાયમ કોઈ ઉંડી ચિંતામાં રહેતો દીઠો. તેથી એક દિવસ પૂછ્યું કે “પટેલ, પેટમાં આવડું બધું દુઃખ શું ભર્યું છે ?” “ગઢવી, તમને કહીને શો સાર કાઢું ? જીભ કચરીને મરવા જેવો મામલો ઉભેા થયો છે. કહેવાની વાત નથી રહી.” “પણ શું છે ? મ્હેાંમાંથી ફાટી મરને !” “આ ગામના દરબારનો સાળો મારા દીકરાની વહુને રાખીને બેઠો છે. રોજ આંહી મારા ઘરમાં આવે છે, ને ધરાર એક પહોર રાત રહે છે.” “ઠીક, આજ આવે ત્યારે મને ચેતવજો.” એ જ રાતે એ ફાટેલા સાંઢ જેવા કામીને ચાંપરાજ વાળે ઠા૨ માર્યો. અને ત્યાંથી પણ ચાલી નીકળ્યા. માર્ગે એક બીજું ગામ આવ્યું. ચાંપરાજ વાળાની શોધ તો ચોમેર ચાલતી જ હતી અને ગામેગામ એના શરીરની એંધાણીઓ પણ પહોંચી ગઈ હતી. એ એંધાણીએ આ ગામના ઠાકોરે પોતાના પાદર ઉભેલો ચાંપરાજ વાળાને દીઠો. દેખતાં જ એને વહેમ આવ્યો. ક્યાં રહેવું ? ક્યાંથી આવે છે ? એમ પૂછપરછ કરતા કરતા ઠાકોર ચાંપરાજ વાળાની થડમાં ગયા. ઘોડીની લગામ ઝાલીને આગ્રહ કરવા માંડ્યા કે “એ બા ! ઉતરો, ઉતરો, રોટલા ખાઈને પછી ચાલજો.” બન્નેની રકઝક ચાલવા માંડી. ચાંપરાજ વાળાને તો આવી રીતની પરોણા ચાકરી ઠેકઠેકાણે મળતી હોવાથી કાંઈ કાવત્રુ હોવાનો વહેમ જ ન આવ્યો. પણ પડખે એક ચારણ ઉભેલો હતો. તેણે એક કાગડા સામે કાંકરો ફેંકીને કહ્યું કે “ઉડી જાજે કાગડા !” એ વેણ કાને પડતાં જ, ચાંપરાજ વાળો સમસ્યા સમજી ગયો, ઘોડીને દાબી, ઝેાંટ મારીને ઠાકોરના હાથમાંથી લગામ છોડાવીને ભાગ્યો. પણ પગલે પગલે એણે પોતાના મોતના પડછાયા ભાળ્યા. ગુજરાતમાં ભમતાં ભમતાં એક ચારણને મુખેથી ચાંપરાજે સમાચાર સાંભળ્યા કે “ચાંપરાજ વાળા, તમે તો રઝળો છો, પણ મૂળુભાઈ ઉપર સરકારે બહુ ભીંસ કરવા માંડી છે. એનો ગરાસ જાવાનો થયો છે. તમારી ખુટલાઈના ઢોલ આખી કાઠીઆવાડમાં વાગી રહ્યા છે.” સાંભળીને ચાંપરાજ વાળો ઝંખવાણો પડી ગયો. બહારવટે નીકળ્યા પહેલાં એની લૂંટફાટની બૂમ એટલી બધી વધી હતીહતી કે સરકારે એની સારી ચાલચલગતના હામી માગ્યા હતાં. એ સમયે જેતપુર દરબાર મૂળુ વાળા હામી થયા હતા. ચાંપરાજ વાળાને સાટે એણે પોતાનાં તમામ ગામ ખાલસા થવાનો કરાર સરકારને કરી દીધો હતો. એટલે અત્યારે મૂળુ વાળા ઉપર સરકારનું આકરૂં દબાણ ચાલી રહ્યું હતું. “મારે પાપે જો મૂળુભાઈનો ગરાસ ખાલસા થશે તો તો ગઝબ થઈ જાશે. મારૂં મોત બગડશે. માટે હવે તો જઈને મૂળુભાઈને હાથે જ સરકારમાં સોંપાઈ જાઉં.” એવે વિચારે ચાંપરાજ વાળાએ કાઠીઆવાડ ભણી ઘોડાં હાંકી મેલ્યા, એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલના એક ગામડાંને પાદર તળાવને આરે ચાંપરાજ વાળો પોતાના બે અસવારો સાથે ઘોડાને પાણી પાવા ઉભો છે, ત્યાં બાજુમાં જ એક અસવાર પોતાના વેલર ઘોડાને પાણી પાવા આવ્યો. ચાંપરાજની પાછળ ફરનારી પલ્ટનનો જ એ અસવાર છે: એની નજર તારોડીયાને અજવાળે ચાંપરાજના ચહેરા ઉપર પડી. એને બરાબર બારવટીયાની અણસાર ગઈ. ઝબ ! દઈને એણે ચાંપરાજ વાળાની ધોડીની લગામ ઝાલી. “કેમ ભાઈ ! લગામ કેમ ઝાલછ ?” “તુમ ચાંપરાજ વાલા !” “અરે રામ રામ કર, અમે તો ચારણ છીએ.” “નહિ, તુમ ચાંપરાજ વાલા !” “અરે મેલી દે ભાઈ, નીકર ઠાલો માર ખાઈશ.” “નહિ, તુમ ચાંપરાજ વાલા,” “આલે ત્યારે, ચાંપરાજને ઝાલવાનું ઇનામ.” એટલું બોલી તરવારનું ઝાવું કરીને એણે અસવારનો હાથ કાપી નાખ્યો. ધોડીની લગામે એ અરધો હાથ લટકતો રહ્યો અને ચાંપરાજે ઘોડી હાંકી. ત્યાં તો ચાંપરાજ વાળો ! ચાંપરાજ વાળો ! પકડો ! પકડો ! એવા રીડીયા થયા, પડખે જ છાવણી પડી હતી તેમાં બીંગલ ફુંકાણાં. મારો ! મારો ! મારો ! કરતા વેલર ઘોડાના અસવાર છૂટ્યા. અને ચાંપરાજ વાળો મુંઝાયો. શામાટે મુંઝાયો ? તળાવનો ઘેરાવો ઘણો મોટો છે : પાળે ચાલે તો પાછળ આવનારા અાંબી લઈ, ભુંડે મોતે મારે. અને પોતાને તો મૂળુ વાળાના હાથથી રજુ થાવું છે. હવે શું કરવું ? "હાં ! નાખો ઘોડાં પાણીમાં !” એમ ત્રણે જણાએ પલકવારમાં તો ઘોડાંના ઉગટા મેવડ, ચોકડાં ને આગેવાળ જેરબંધ ઉતારી લઈ, ધબેાધબ તળાવમાં ઝંપલાવ્યું. મગરે તરે તેમ ઘોડીઓ વાંસજાળ પાણીમાં શેલારો દઈ વધવા માંડી. સડેડાટ અંધારામાં સામે કાંઠે ઉતર્યા એમાં પોતાના સંગાથીની ઘોડી થાકીને પાણીમાં ડૂબવા લાગી. અસવારે બૂમ પાડી. “એ ચાંપાભાઈ ! હું રહી ગયો છું. હું બુડું છું. હવે રામ રામ છે !” “અરે રહી તે કેમ જાશે ? રહેશું તો સહુ એક સામટા માર ઠેકડો ! આવી જા મારી ઘોડીને માથે.” એમ કહી, ઘોડીને પાછી ફેરવી, એ ડુબતા કાઠીને કાંડે ઝાલી ચાંપરાજ વાળાએ એને પોતાની ઘોડી માથે બેલાડ્યે બેસારી દીધો, ને પછી એણે મૃત્યુલોકનાં વિમાનોને વ્હેતાં કર્યાં. અંધારી ઘોર રાતમાં છાવણીના અસવારો આસપાસ બધે ગેાતી વળ્યા. પણ બહારવટીયો તો બંદુકની ગોળી જેવો ! હાથમાંથી છૂટ્યા પછી હાથ આવ્યો નહિ. આખી રાત ઘોડીઓ બબ્બે અસવારને ઉપાડીને ચાલી નીકળી. પંચાળની ધરતી વીંધીને સેારઠમાં ઉતરી. અને પાછલી રાતનો એક પહોર બાકી હતો ત્યારે ગીરમાં જેઠસુર વાળાના બોરડી ગામમાં દાખલ થઈ ગઈ. “ઓહોહો, ચાંપરાજ ભાઈ આવ્યા ! ચાંપરાજભાઈ આવ્યા !” એમ જેઠસૂર વાળાએ આદરમાન દઈ ચાંપરાજ વાળાને ઢોલીઆ પાથરી દીધા. અને ઘોડીએાને લીલાછમ બાજરાનું જોગાણ મેલાવ્યું. “બાપુ !” માણસે આવીને કહ્યું “ત્રણમાંથી એક ઘેાડી જોગાણ ખાતી નથી. પંથ બહુ આકરો થયો લાગે છે.” “અરે મારી ઘોડી જોગાણ ન ખાય એમ બને ખરું ! ભલે ને લંકાનો પંથ કર્યો હોય ! કઈ ઘોડી તું કહે છે !” “ધોયેલા (ધોળા) પગ વાળી. “અરે, ધોયેલા પગ વાળી તો એકેય ઘોડી જ નથી.” એમ બોલતો ચાંપરાજ વાળો ઠાણમાં ગયો ત્યાં આઘેથી પોતાની જ ઘોડીનો પગ ગોઠણ સુધી ધોળો ફુલ જેવો દેખાયો. પાસે જઈને જોવે ત્યાં તો એના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એ પગ ન્હોતો, પણ પગના નળાનું હાડકું જ હતું. સંચોડો ડાબો જ ન મળે. અને પગના કાંડા સુધીની આખી ખેાળ જ ઉતરડાઈને ઉપર ચડી ગયેલી !પાંચાળમાંથી રાતે નીકળતી વખતે પહાડના પત્થરની ચીરાડમાં ઘોડીનો પગ ચડી ગયો હતો અને પગ ઉપાડતાં જ, ટોપરાનો વાટકો નીકળે તેવી રીતે પગનો ડાબલો તૂટીને છૂટો થયેલ હતો. પણ ઘોડીએ કળાવા જ દીધેલું નહિ. “આ હા હા હા !” ચાંપરાજ વાળાને યાદ આવ્યું, “ડુંગરામાં રાતે એક વાર ઘોડીના પગનો કાંઈક અવાજ મને સંભળાણો તો ખરો અને તે પછી ઘોડીનો પગ આખી વાટ સ્‍હેજસાજ લચકાતો આવતો હતો. પણ આમ સંચોડો ડાબો જ નીકળી ગયો હોવાનું ઓસાણ તો મને આવે જ શેનું ?” પગ વગરની જે ઘોડીએ, ત્રણ પગે ચાલીને બે અસવારને ચાલીસ પચાસ ગાઉ પહોંચાડી દીધા, તેને આજ ગુડી નાખવાનો સમય આવતાં જ ચાંપરાજ વાળાની છાતી ભેદાઈ ગઈ. ગામની બહાર લઈ જઈને ઘોડીને ઉભી રાખી. એક જ ઘાયે ફેસલો થઈ જાય તે માટે ચાંપરાજ વાળાએ જોર કરીને ઘોડીને ગળે ઝાટકો ચેાંટાડ્યો. પણ ડોકું પૂરેપૂરૂં ન કપાયું. વેદનાની મારી ઘોડી ભાગી નીકળી. અને ચાંપરાજ વાળાએ જાણ્યું કે “ભુંડી થઈ ! પડખે જ માણેકવાડાની એજન્સીની છાવણી પડી છે. ત્યાં પહોંચ્યા ભેગી જ ઘોડી એાળખાઇ આવશે, આપણા સગડ લેવાશે અને વચમાં નાહક આ બાપડો જેઠસૂર કૂટાઈ જશે !” “બાપ રેશમ ! બેટા રેશમ !” એમ ચાંપરાજ વાળાએ સાદ દીધા. અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી. આવીને માથું નમાવી ઉભી રહી, એટલે બીજ ઝાટકે ચાંપરાજે એની ગરદન ઉડાવી દીધી. વન ગઈ પાલવ વિન જનની કે'તાં જે દોરીને ચાંપો દેતે માન્યું સાચુ મૂળવા! [હે મૂળુ વાળા ! કાઠીઆણી જ્યારે ચોરીમાં પરણવા બેસે ત્યારે કાપડું પહેરતી નથી, એ વાત આજે, તેં જ્યારે ચાંપરાજને દોરીને સરકારમાં સોંપી દીધો ત્યારે જ મેં સાચી વાત માની : એટલે કે એવી નિર્લજ્જ માતાના પુત્ર તારા સરખા મિત્રદ્રોહી જ થાય એમાં નવાઈ નથી.] (આ લગ્ન-પ્રથા સંબંધે એવી કથા કાઠીઓમાં પ્રવતે છે કે, “મુસલમાન રાજ્યના કોઈક સમયમાં, દરેક ક્ષત્રિય રાજાની પરણેતર કોઈ બાદશાહ, પ્રથમની રાતે પોતાના શયનગૃહમાં મોકલવાનો હુકમ કરતો. પછી એ પ્રથા ત્યજીને પાદશાહે એવો હુકમ કરેલો કે પ્રત્યેક ક્ષત્રિય કન્યાને પરણતી વેળા જે કાંચળી પહેરાવામાં આવે, તેના સ્તન–ભાગ પર પાદશાહી પંજાની છાપ હોવી જોઈએ. આ આજ્ઞાને તાબે બીજા બધા થયા પણ કાઠીઓએ તો તે કલંકમાંથી મુક્ત રહેવા ખાતર લગ્ન વિધિમાંથી કાપડું જ કાઢી નાખ્યું.” આ વાતમાં કશું વજૂદ જણાતું જ નથી.] જાશે જળ જમી, પોરહ ને પતીઆળ ચાંપા ભેળાં ચાર, માતમ ખેાયું મૂળવા [હે મૂળુ વાળા ! ચાંપરાજ જાય છે. તેની સાથે જળ, જમીન, પૌરૂષ અને પ્રતિષ્ઠા, એ ચારે ચીજો ચાલી જાય છે. એને સોંપી દઈને તેં તારૂં માહાત્મ્ય ગુમાવ્યું.] (કાં તો) જેતાણું જાનારૂં થયું, મૂળુ ઈદલ મોત ખાધી મોટી ખોટ, દોરીને ચાંપો દીયે. [કાં તો જેતપૂર જનારૂં થયું, કાં તારૂં મોત આવ્યું. હે મૂળુ વાળા ! તે ચાંપરાજને સોંપી દેવામાં માટી ખેાટ ખાધી છે.] આવા ઠપકાના દુહા ચારણો ઠેર ઠેર સંભળાવવા લાગ્યા. મૂળુ વાળાને માથે ચાંપરાજને રાજકોટ જઈ સોંપી દેવાનું આળ મૂક્યું. પણ બીજી બાજુ કૈંક લોકો કહે છે કે મૂળુ વાળાનો વાંક નહોતો. મૂળુ વાળાએ તે બહુ બહુ વિનવ્યું હતું કે “ચાંપા, ભલો થઈને ભાગી જા. ભલે મારો ગરાસ જપ્ત થાય.” પણ ચાંપરાજ માન્યો નહિ. સોંપાયો. એના ઉપર મુકર્દમો ચાલ્યો. અને એને જન્મકેદની સજા થઈ. યેરોડાની જેલમાં એને મોકલી દેવામાં આવ્યો. ઇ. સ. ૧૮૩૭. હમણાં જેલર સા'બ કેમ નથી દેખાતા ?” “એની મઢ્યમને પેટપીડા ઉપડી છે.” “શા કારણથી ?" “બાપડીને છોરૂ આવ્યાનો સમો થીયો છે. પણ આડું આવેલ હોવાથી છૂટકો થાતો નથી. મોટામેટા ગોરા સરજનોએય હાથ ધોઈ નાખ્યા છે, અને મઢ્યમ તો હવે ઘડી બે ઘડીમાં મરવાની થઈ છે. જેલના દરોગાને મોઢે આ વાત સાંભળીને ચાંપરાજ વાળાને વિચાર ઉપડ્યો. એણે કહ્યું કે “અરે ભાઈ, એમાં ગોરા સરજનનો ઉપા' કાર નહિ કરે. ઘણું ય મારી આગળ દવા છે, પણ ઈ દવા કોણ કરે ? જેલર સાબને કાને મારી વાતે ય કોણ પોગાડે” દરોગાએ જઈને સાહેબને બંગલે વાત પહોંચાડી કે કાઠીઆવાડનો એક કેદી આડાં ભાંગવાની દવા જાણે છે. અંગ્રેજને અજાયબી તો બહુ થઈ. માન્યામાં તો આવ્યું નહિ. પણ ડુબતો માણસ તરણાને યે ઝાલે એ રીતે એણે ચાંપરાજ વાળાને દવા કરવાનું કહ્યું. ચાંપરાજે માગ્યું કે - “એક તરવાર : એક ઘીનો દીવો : ધુપ: અને એક માળા: ચાર વાનાં લઈને મને નદી કે નવાણને કાંઠે જવા દ્યો.” માગી તેટલી સામગ્રી આપીને ચાંપરાજને જળાશય કાંઠે તેડી ગયા. નહાઈ ધોઈ, ધોતીયું પહેરી, ઘીનો દીવો ને ધુપ કરી હાથમાં માળા લઈને પ્રભાતને પ્હોર ચાંપરાજે સુરજ સામે હાથ જોડ્યા: “હે સૂરજ ! મારી પાસે કાંઈ દવા નથી. પણ આજસુધી મેં પરનારી ઉપર મીટ પણ ન માંડી હોવાનો જો તું સાક્ષી હો મનમાં પરનારીનો સંકલ્પ પણ જો મેં કોઈ દિ' ન કર્યો હોય, તો તે મઢમ બેનનું આડું ભાંગીને તારા છોરૂની લાજ રાખજે બાપ ! નીકર આ તરવાર પેટમાં પરોવીને હું સુઈ જઈશ.” આટલું બોલી, પોતાની નાડી ધોઈ, ધોણનું પાણી પોતે દરોગાના હાથમાં દીધું. “લે ભાઈ, મઢમ બેનને પીવરાવી દે, ને પછી મને આંહી ખબ૨ આ૫ કે છૂટકો થાય છે કે નહિ.” પાણી લઈને દરોગો દોડ્યો, અને ચાંપરાજે ઉઘાડી તરવાર તૈયાર રાખી સુરજના જાપ આદર્યા. કાં તો જેલમાંથી છૂટું છું ને કાં આંહી જ પ્રાણ કાઢું છું. એવો નિશ્વય કર્યો, એક, બે, ને ત્રણ માળા ફેરવ્યા ભેળાં તો માણસ દોડતાં આવ્યાં, “ચાંપરાજ ભાઈ, મઢ્યમને છૂટકારો થઈ ગયો ! પેટપીડ મટી ગઈ ! રંગ છે તમારી દવાને” મઢમે ચાંપરાજ વાળાને પોતાનો ભાઈ કહ્યો અને પોતાના ધણી સાથે જીકર માંડી કે “મારા ભાઈને છોડાવો.” “અરે ગાંડી ! જન્મ-ટીપનો હુકમ એમ ન ફરે” “ગમે તેમ કરીને વિલાયત જઈને ફેરવાવો. નીકર તમારે ને મારે રામરામ છે !” મઢમનાં રીસામણાંએ સાહેબનાં ઘરને સ્મશાન બનાવી મૂક્યું. સાહેબે સરકારમાં લખાણ ચલાવીને મોટી લાગવગ વાપરી ચાંપરાજ વાળાની સજા રદ કરાવી દીધી અને દશ બાર વરસ સુધીની એની મજુરીના જે બસો ત્રણસો રૂપીઆ એના નામ પર જમા થયેલા તે આપીને, ચાંપરાજ વાળાને રજા દીધી. મઢમ બહેનની વિદાય લેતી વેળા બહારવટીયાની ખુની આંખોમાંથી પણ ખળળ ! ખળળ ! આંસુડાં વહેવા લાગ્યાં. મઢમનું હૈયું પણ ભરાઈ આવ્યું. પડખેના બંદરેથી વ્હાણમાં બેસીને ચાંપરાજ વાળો ભાવનગર ઉતર્યો. પહાંચ્યો મહારાજ વજેસંગજીની પાસે. કચારીમાં જઈને પગે હાથ નાખ્યા. “મારો કનૈયાલાલ ! મારો વજો મહારાજ ! બાપો મારો ! મને કારાગૃહમાંથી ઉગાર્યો !” એવી બૂમાબુમ કરીને એ નટખટ કાઠીએ કચારી ગજાવી મૂકી. “ઓહોહોહો ! ચાંપરાજ વાળા, તમે ક્યાંથી ?” “મહારાજે મને છોડાવ્યો.” ચાંપરાજે લુચ્ચાઈ આદરી. “હેં ! સાચેસાચ મેં તમને છોડાવ્યા ! શી રીતે ?” “અરે વજા મહારાજ ! તારી તે શી વાત કરૂં ? જાણ્યે એમ થયું છે એક દિ' રાતમાં કનૈયાલાલનું રૂપ ધરીને આપ મારી જેલની ઓરડીમાં પધાર્યા, અને મારી બેડીઓ તોડી, મને દરવાજા ફટાક ઉઘાડા કરી દીધા. અને હું નીકળી આવ્યો. મહારાજ કનૈયાનો અવતાર છે, એમ સહુનું કહેવું મારે તો સાચું પડ્યું.” એમ કહીને, પોતાની જેલની મજુરીના જે રૂપીઆ બાકી રહ્યા હતા, તે મહારાજને માથેથી ઘોળ કરીને મહારાજના પગમાં ધરી દીધા. “અરે રંગ ! રંગ કાઠીભાઈની કરામતને !” એમ રંગ દઈને ડાહ્યા રાજા વજેસંગજીએ ચાંપરાજની પીઠ થાબડી. ચાંપરાજ વાળાને મહામૂલના સરપાવની પહેરામણી કરીને પોતાના અસવારો સાથે ચરખા પહોંચતો કર્યો. અને ત્યાર પછી ચાંપરાજ વાળો, ઘર આગળ પથારીમાં જ મરણ પામ્યો

Friday 21 January 2022

પોતાના ડૉકટર પોતે બનો

1= માત્ર સિંધાલૂણ મીઠું વાપરો, થાઈરોઈડ, બીપી અને પેટ સારું રહેશે. 
 2 = માત્ર સ્ટીલ કૂકરનો ઉપયોગ કરો, એલ્યુમિનિયમમાં મિશ્રિત સીશાને કારણે થતું નુકસાન ટળશે.
 3 = કોઈપણ રીફાઈન્ડ તેલ ન ખાતા ફક્ત તલ, મગફળી, સરસવ અને નાળિયેરના ઘાણીના તેલનો ઉપયોગ કરો. રિફાઈન્ડમાં ઘણા બધા રસાયણો હોય છે જેના કારણ કે શરીરમાં અનેક બીમારીઓનું કારણ બને છે.
 4 = સોયાબીનને 2 કલાક પલાળી રાખો, તેને મેસળીને ઝેરી ફીણ બહાર આવે પછી જ તેનો ઉપયોગ કરો. 
 5 = રસોડામાં એક્ઝોસ્ટ ફેન જરૂરી છે, પ્રદૂષિત હવાને બહાર કાઢો. 
 6 = કામ કરતી વખતે તમને ગમતું સંગીત વગાડો. ખાવામાં પણ સારી અસર થશે અને થાક ઓછો થશે. 
 7 = દેશી ગાયના ઘીનો ઉપયોગ વધારવો. ઘણા રોગો દૂર થશે, વજન નથી વધતું. 
 8 = ખાદ્ય પદાર્થોમાં વધુ ને વધુ મીઠો લીમડો/કઢી પત્તા ઉમેરો, દરેકનું સ્વાસ્થ્ય સારું રહેશે. 
 9 = લોખંડની તપેલીમાં બને તેટલી વસ્તુઓ બનાવો. કોઈને પણ આયર્નની ઉણપ નહીં થાય. 
 10 = ભોજનનો સમય નક્કી કરો, પેટ સારું રહેશે. ભોજન વચ્ચે વાત ન કરો, ખોરાક વધુ પોષણ આપશે. 
 11 = નાસ્તામાં ફણગાવેલા અનાજનો સમાવેશ કરો. પૌષ્ટિક વિટામિન અને ફાઇબર મેળવો. 
 12 = દેશી ગાયના દૂધમાંથી બનેલું તાજુ દહીં સવારના ભોજન સાથે લેવાથી પેટ સારું રહેશે. 
 13 = ખાંડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, વૃદ્ધાવસ્થામાં હાડકાં ઠીક રહેશે. 
 14 = ખાંડને બદલે દેશી ગોળ લો. 
 15 = વઘારમાં સરસવની સાથે વરિયાળીનો ઉપયોગ કરો, ફાયદા એટલા છે કે તમે લખી પણ શકતા નથી. 
 16 = ચાના સમયે આયુર્વેદિક પીણાની ટેવ પાડો અને તમે સ્વસ્થ રહેશો. 
 17 = એક ડસ્ટબીન રસોડામાં અને એક બહાર રાખો, સુતા પહેલા રસોડાના કચરાને બહારની ડસ્ટબીનમાં નાખો. 
 18 = રસોડામાં પ્રવેશતા જ નાકમાં ઘી અથવા સરસવનું તેલ લગાવો, માથું અને ફેફસાં સ્વસ્થ રહેશે. 
 19 = કારેલા, મેથી અને મૂળા જેવાં એસિડિક શાકભાજી ખાઓ, લોહી શુદ્ધ રહેશે.
 20 = માટલા કરતાં ઠંડું પાણી ન પીવો, પાચન અને દાંત બરાબર રહેશે. 
 21 = રસોડામાંથી પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ દૂર કરો, બંને કેન્સરના પરિબળો છે. 
 22 = માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કાર્સિનોજન છે. 
 23 = ઠંડા ખાદ્યપદાર્થો ઓછા પ્રમાણમાં ખાઓ, તે પેટ અને દાંતને બગાડે છે. 
 24 = બહારનું ખાવું ખૂબ જ નુકસાનકારક છે, ખોરાક સંબંધિત જૂથમાં જોડાઓ અને ઘરે જ બનાવો. 
 25 = તળેલી વસ્તુઓ છોડી દો, વજન, પેટ, એસિડિટી બરાબર થશે. 
 26 = લોટ, ચણાનો લોટ, ચણા, રાજમા અને અડદ ઓછું ખાઓ, ગેસની સમસ્યાથી બચી જશો.
 27 = આદુ, અજમાનો ઉપયોગ વધારે કરો, ગેસ અને શરીરનો દુખાવો ઓછો થશે. 
 28 = કાળીજીરી વગરનું અથાણું નુકસાનકારક છે. 
 29 = RO ધરાવતું વોટર ફિલ્ટર હાનિકારક છે. U V નો જ ઉપયોગ કરો, સસ્તો અને સારો પણ. 
30 = રસોડામાં જ ઘણા સૌંદર્ય પ્રસાધનો છે, આ પ્રકારના ગૃપમાંથી માહિતી લો..
31 = રાત્રે એક કપ પાણીમાં અડધી ચમચી ત્રિફળા નાખીને સવારે કપડાથી ગાળી લો અને આ પાણીથી આંખો ધોઈ લો, ચશ્મા ઉતરી જશે. ગાળ્યા પછી બાકી રહેલ પાવડરને એક ગ્લાસ પાણીમાં નાખીને રાખો. રાત્રે પીવો પેટ સાફ રહેશે, એક વર્ષમાં કોઈ રોગ નહીં રહે.
32 = સવારે રસોડામાં ચપ્પલ ન પહેરો, શુદ્ધતા તેમજ એક્યુપ્રેશર.
33 = અડધી ચમચી કાચું જીરું રાત્રે પલાળીને ખાવું અને એ જ પાણી સવારે ખાલી પેટ પીવાથી એસિડિટી મટે છે.
34 = જો તમે એક્યુપ્રેશર વડે પિરામિડ પ્લેટફોર્મ પર ઉભા રહીને ભોજન બનાવવાની ટેવ પાડશો તો પણ શરીરમાંથી તમામ રોગો દૂર થઈ જશે.
35 = આખા દિવસ દરમિયાન કોઈપણ સ્વરૂપમાં એક ચતુર્થાંશ ચમચી તજનો ઉપયોગ ચોક્કસપણે સ્વાસ્થ્ય તરફ દોરી જશે.
36 = રસોડાના મસાલામાંથી બનેલો ચાઈ મસાલો આરોગ્યપ્રદ છે
37 = શિયાળામાં નખ જેટલા તજને ચૂસવાથી શરદીની અસરથી બચી જશે.
38 = શિયાળામાં બહાર જતી વખતે મોઢામાં 2 ચપટી અજમા રાખો, ઠંડીને કારણે કોઈ નુકસાન નહીં થાય. 
39 = લીંબુના રસના ચોથા ભાગના ટુકડામાં થોડી હળદર, મીઠું, ફટકડી નાખીને દાંતમાં ઘસવાથી દાંતનો કોઈ રોગ મટે નહીં.
40 = ક્યારેક મીઠું - હળદરમાં સરસવના તેલના 2 ટીપા નાખી આંગળી વડે દાંત સાફ કરો, દાંતનો કોઈ રોગ બચી શકશે નહીં.
41 = ફિવર -તાવમાં 1 લીટર પાણી ઉકાળીને 250 મિલી બનાવી લો, જ્યારે સામાન્ય તાપમાન આવે ત્યારે દર્દીને થોડું-થોડું આપો, તે દવાનું કામ કરશે.
42 = સવારના ભોજન સાથે ઘરે બનાવેલ દેશી ગાયનું તાજુ દહીં સામેલ કરવું જોઈએ, તે પ્રોબાયોટિક તરીકે કામ કરશે.
હૃદય રોગ માટે આયુર્વેદિક સારવાર આ તેમાં નીચેનું એક સૂત્ર સમજો!! તમે એસિડિટી સમજો છો, જેને અંગ્રેજીમાં એસિડિટી પણ કહેવાય છે અને આ એસિડિટી બે પ્રકારની હોય છે! એક તો પેટની એસિડિટી! અને એક છે લોહીની એસિડિટી. જ્યારે તમારા પેટમાં એસિડિટી વધી જાય ત્યારે તમે કહેશો કે પેટમાં બળતરા થાય છે, ખાટા ખાટા ઓડકાર આવે છે, મોઢામાંથી પાણી નીકળે છે અને જો આ એસિડિટી વધુ વધી જાય તો તેને હાઈપરએસીડીટી કહેવાય છે. પછી આ પેટની એસિડિટી વધારે છે, જ્યારે તે લોહીમાં આવે છે, ત્યારે લોહીની એસિડિટી થાય છે અને જ્યારે લોહીમાં એસિડિટી વધી જાય છે, ત્યારે આ એસિડિક લોહી હૃદયની નળીઓમાંથી બહાર નીકળી શકતું નથી અને નળીઓને બ્લોક કરે છે અને માત્ર પછી હાર્ટ એટેક આવે છે! આના વિના હાર્ટ એટેક નહીં આવે અને આ આયુર્વેદનું સૌથી મોટું સત્ય છે જે તમને કોઈ ડૉક્ટર નથી કહેતું. કારણ કે તેનો ઈલાજ સૌથી સરળ છે!! એસીડીટીની સારવાર શું છે ?? વાગભટ્ટજી આગળ લખે છે કે, જ્યારે લોહીમાં એસિડિટી વધી ગઈ છે! તેથી તમે ક્ષારયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરો છો! તમે જાણો છો કે બે પ્રકારની વસ્તુઓ છે! એસિડિક અને આલ્કલાઇન હવે જ્યારે એસિડ અને આલ્કલી મિશ્રિત થાય છે ત્યારે શું થાય છે? આપણે બધા જાણીએ છીએ કે તટસ્થ છે!! તો વાગભટ્ટજી લખે છે કે જો લોહીની એસિડિટી વધી ગઈ હોય તો આલ્કલાઇન વસ્તુઓ ખાઓ! તેથી લોહીની એસિડિટી ન્યુટ્રલ થઈ જશે અને જ્યારે લોહીમાં એસિડિટી ન્યુટ્રલ થઈ જશે તો જીવનમાં હાર્ટ એટેક આવવાની શક્યતા નહીં રહે. આ આખી વાર્તા છે!! હવે તમે પૂછશો કે એવી કઈ વસ્તુઓ છે જે ક્ષારયુક્ત છે અને આપણે ખાવી જોઈએ?? તમારા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે આલ્કલાઇન છે. જે ખાશો તો હાર્ટ એટેક ક્યારેય નહીં આવે અને આવે તો ફરી નહીં આવે! તમારા ઘરમાં સૌથી ક્ષારયુક્ત વસ્તુ છે જેને આપણે દૂધી પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં તેને બોટલ ગૉર્ડ પણ કહેવાય છે, જેને તમે શાક તરીકે ખાઓ છો. આનાથી વધુ કોઈ ક્ષારયુક્ત વસ્તુ નથી, તેથી તમે દરરોજ બોટલનો રસ પી શકો છો અથવા જો તમે તે ખાઈ શકો છો, તો પછી કાચો ગોળ ખાઓ. વાગભટ્ટ જી અનુસાર, લોહમાં લોહીની એસિડિટી ઘટાડવાની સૌથી વધુ શક્તિ હોય છે, તેથી તમારે બોટલના રસનું સેવન કરવું જોઈએ. કેટલું સેવન કરવું દરરોજ 200 થી 300 ગ્રામ બોટલ ગાર્ડનો રસ પીવો. તમે ક્યારે પીશો સવારે ખાલી પેટ (શૌચાલય) શૌચ કર્યા પછી પી શકાય છે. અથવા તમે તેને નાસ્તાના અડધા કલાક પછી પી શકો છો! તમે આ દુધીના રસને વધુ આલ્કલાઇન પણ બનાવી શકો છો! જેના માટે તેમાં તુલસીના 7 થી 10 પાન નાખો કારણ કે તુલસી ખૂબ જ ક્ષારયુક્ત હોય છે! તમે તેની સાથે ફુદીનાના 7 થી 10 પાન પણ ઉમેરી શકો છો, કારણ કે ફુદીનો પણ ખૂબ જ ક્ષારયુક્ત હોય છે. આ સાથે તમારે તેમાં હિંગ અથવા સિંધાલૂણ મીઠું પણ નાખવું જોઈએ. તે ખૂબ જ આલ્કલાઇન પણ છે. યાદ રાખો, મીઠું ફક્ત કાળું અથવા ખડકનું જ નાખો, અન્ય આયોડાઇઝ્ડ મીઠું ક્યારેય ઉમેરશો નહીં! આયોડાઈડ મીઠું એસિડિક હોય છે. તો મિત્રો, તમારે 2 થી 3 મહિના સુધી આ દુધીના રસનું સેવન અવશ્ય કરવું જોઈએ, તેનાથી તમારા હાર્ટ બ્લોકેજ દૂર થઈ જશે. 21માં દિવસે જ તમને ઘણી અસર દેખાવા લાગશે અને પછી તમારે કોઈ ઓપરેશનની જરૂર નહીં પડે. આપણા ભારતના આયુર્વેદ દ્વારા ઘરે બેઠા સારવાર કરવામાં આવશે અને તમારા અમૂલ્ય શરીર અને ઓપરેશન માટે લાખો રૂપિયાની બચત થશે અને જો તમે ઇચ્છો તો ગૌશાળામાં બચેલા પૈસા દાનમાં આપી દો કારણ કે ગૌશાળામાં દાન કરવું વધુ સારું છે. ડૉક્ટર! હળદરનું પાણી હળદરને પાણીમાં મિક્સ કરીને પીવાના 7 ફાયદા છે. 
1. હૂંફાળું હળદરનું પાણી પીવાથી મગજ તેજ બને છે. સવારે હળદરનું નવશેકું પાણી પીવાથી મન તેજ અને ઉર્જાવાન બને છે.
2. જો તમે દરરોજ હળદરનું પાણી પીવો છો તો તેનાથી લોહીમાં રહેલી ગંદકી સાફ થાય છે અને લોહી જામતું નથી, તે લોહીને શુદ્ધ કરે છે અને હૃદયને રોગોથી પણ બચાવે છે.
3. લીવરની સમસ્યાથી પીડિત લોકો માટે હળદરનું પાણી કોઈ દવાથી ઓછું નથી કારણ કે હળદરનું પાણી લીવરના કોષોને નવજીવન આપે છે. આ સિવાય હળદર અને પાણીના સંયુક્ત ગુણ પણ લીવરને ઈન્ફેક્શનથી બચાવે છે.
4. હાર્ટ પ્રોબ્લેમથી પીડિત લોકોએ હળદરનું પાણી પીવું જોઈએ કારણ કે હળદર લોહીને ઘટ્ટ થવાથી રોકે છે, જેનાથી હાર્ટ એટેકની શક્યતા ઓછી થઈ જાય છે.
5. હળદરના પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પીવાથી શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેને પીવાથી શરીર પર વધતી ઉંમરની અસર થતી નથી. હળદરમાં ફ્રી રેડિકલ્સ હોય છે જે સ્વાસ્થ્ય અને સુંદરતા વધારે છે.
6. જો શરીરમાં કોઈ પ્રકારનો સોજો હોય અને તે કોઈ દવાથી ઠીક ન થઈ રહ્યો હોય તો તમારે હળદરનું પાણી પીવું જોઈએ. હળદરમાં કર્ક્યુમિન હોય છે જે સાંધામાં બળતરા અને અસહ્ય દુખાવો મટાડે છે. હળદરનું પાણી બળતરા માટે સંપૂર્ણ દવા છે.
7. હળદર કેન્સરને મટાડે છે. હળદર કેન્સર સામે લડે છે અને તેને વધતા પણ રોકે છે કારણ કે હળદર કેન્સર વિરોધી છે અને જો તમે અઠવાડિયામાં ત્રણ દિવસ હળદરનું પાણી પીશો તો ભવિષ્યમાં હંમેશા કેન્સરથી બચી જશો.
આપણા વેદ મુજબ સ્વસ્થ રહેવાના 15 નિયમો છે...
1 - ખોરાક ખાધા પછી 1.30 કલાક પછી જ પાણી પીવું જોઈએ.
2- ચુસ્કી ભરીને પાણી પીવો, જેથી તમારા મોંની લાળ પાણીમાં ભળીને પેટમાં જાય, પેટમાં એસિડ બને છે અને જો તમે તેને બંને પેટમાં સરખી રીતે મિક્સ કરો તો કોઈ રોગ નજીક નહીં આવે.
3- (ફ્રિજનું) ઠંડુ પાણી ક્યારેય ન પીવો
4- સવારે ઉઠતાની સાથે જ કોગળા કર્યા વગર બે ગ્લાસ પાણી પી લો, આખી રાત તમારા મોંમાં રહેલ લાળ અમૂલ્ય છે, તે પેટમાં જ જવી જોઈએ.
5- ખોરાક, તમારે તમારા મોંમાં દાંત હોય તેટલી વખત ચાવવું પડશે.
6 - જમીન પર સપાટ મુદ્રામાં બેસીને અથવા જડમૂળથી બેસીને ભોજન કરવું જોઈએ.
7 - ફૂડ મેનૂમાં એકબીજાની વિરુદ્ધ ખોરાક ન ખાવો જેમ કે દૂધ સાથે દહીં, દૂધ સાથે ડુંગળી, અડદની દાળ દહીં સાથે.
8 - દરિયાઈ મીઠાને બદલે રોક મીઠું અથવા કાળું મીઠું ખાવું જોઈએ.
9 - રીફાઈન્ડ તેલ, ડાલ્ડા ઝેર છે, તેના બદલે તમારા વિસ્તાર અનુસાર સરસવ, તલ, મગફળી અથવા નાળિયેર ના ધાણીના તેલનો ઉપયોગ કરો. ખોરાકમાં સોયાબીનનું કોઈ પણ ઉત્પાદન ન લેવું, તેનું ઉત્પાદન માત્ર ડુક્કર જ પચાવી શકે છે. તેને પચાવવા માટે એન્ઝાઇમ માણસમાં બનતા નથી.
10 - બપોરના ભોજન પછી ઓછામાં ઓછા 30 મિનિટ આરામ કરવો જોઈએ અને સાંજના ભોજન પછી 500 પગલાં ચાલવા જોઈએ.
11 - ઘરમાં ખાંડ (ખાંડ) નો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ખાંડને સફેદ કરવા માટે સત્તર પ્રકારના ઝેર (કેમિકલ્સ) ઉમેરવા પડે છે, તેના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ અને આજકાલ ગોળ બનાવવામાં કોસ્ટિક સોડા (ઝેર) ભેળવવામાં આવે છે. તે સફેદ બને છે તેથી સફેદ ગોળ ન ખાવો. કુદરતી ગોળ જ ખાઓ. કુદરતી ગોળ ચોકલેટ રંગનો હોય છે.
12 - સૂતી વખતે તમારું માથું પૂર્વ કે દક્ષિણ તરફ હોવું જોઈએ.
13 - ઘરમાં એલ્યુમિનિયમના વાસણો કે કૂકર ન હોવા જોઈએ. આપણા વાસણો માટી, પિત્તળ, લોખંડ અને કાંસાના હોવા જોઈએ.
14 - બપોરનું ભોજન 11 વાગ્યા સુધીમાં કરવું જોઈએ અને સાંજનું ભોજન સૂર્યાસ્ત સુધીમાં કરવું જોઈએ.
15- સવારે પરોઢ સુધી દેશી ગાયના દૂધમાંથી બનાવેલી છાશ (શેક્યા વગર મીઠું અને જીરું મિક્સ કરીને) પીવી જોઈએ.
જો તમે તમારા જીવનમાં આ નિયમોનો અમલ કરશો તો તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે અને દેશના આઠ લાખ કરોડ રૂપિયા બચશે. જો તમે બીમાર છો, તો આ નિયમોનું પાલન કરવાથી, તમારા શરીરના તમામ રોગો (બીપી, શુગર) આગામી ત્રણ મહિનાથી બાર મહિનામાં ખતમ થઈ જશે. શિયાળામાં મેથીના દાણાનો ભરપૂર લાભ લો મેથીના દાણા ગરમ, વાત અને કફનાશક, પિત્તરોધક, પાચન શક્તિ અને હૃદય માટે મજબૂત અને લાભકારી છે. તે પુનઃસ્થાપન, શક્તિ આપનારી, શક્તિ આપનાર ટોનિક તરીકે કામ કરે છે. તેને સવાર-સાંજ પાણી સાથે ગળવાથી પેટ સ્વસ્થ બને છે, કબજિયાત અને ગેસ દૂર થાય છે. તેને મગ સાથે શાક તરીકે પણ ખાઈ શકાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જેટલી સંખ્યામાં મેથીના દાણા રોજ ચાવવાથી અથવા ચુસવાથી, તમારી ઉંમરના જેટલાં વર્ષ વીતી ગયાં છે, વૃદ્ધાવસ્થામાં થતા રોગો જેમ કે ઘૂંટણ અને સાંધાનો દુખાવો, ભૂખ ન લાગવી, હાથ સુન્ન થઈ જવો, સાયટિકા, સ્નાયુઓમાં તાણ આવવામાં ફાયદો થાય છે. , વારંવાર પેશાબ, ચક્કર વગેરે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે શેકેલી મેથીના દાણાના લોટમાં ભેળવીને લાડુ બનાવવાથી ફાયદો થાય છે. મેથીના દાણામાંથી શક્તિશાળી પીણું બે ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં ચાર પાંચ કકલાક પલાળી રાખો, પછી તેને પાણી ચોથા ભાગના રહી જાય ત્યાં સુધી ઉકાળો, તેને ગાળી લો અને બે ચમચી મધ મિક્સ કરીને પી લો.
ઔષધીય ઉપયોગ 
1. કબજિયાત: 20 ગ્રામ મેથીના દાણાને 200 ગ્રામ નવશેકા પાણીમાં પલાળી રાખો. સ્નાયુ પીધા પછી 5-6 કલાક પછી સ્ટૂલ સ્પષ્ટ થઈ જાય છે. ભૂખ સારી લાગવા લાગે છે અને પાચન પણ સારું થવા લાગે છે. 
2. સાંધાનો દુખાવો: 100 ગ્રામ મેથીના દાણા લઈને તેને બરછટ પીસી લો. તેમાં 25 ગ્રામ કાળું મીઠું નાખીને રાખો. આ મિશ્રણના 2 ચમચી સવાર-સાંજ હૂંફાળા પાણી સાથે નાખવાથી સાંધા, કમર અને ઘૂંટણનો દુખાવો, સંધિવા વગેરેમાં ફાયદો થાય છે. તેનાથી પેટમાં ગેસ પણ નહીં બને.
3. પેટના રોગોમાં: મેથીના દાણાનું 1 થી 3 ગ્રામ ચૂર્ણ સવારે, બપોર અને સાંજે પાણી સાથે લેવાથી અપચો, ઝાડા, ભૂખ ન લાગવી, ચક્કર આવવા, દુખાવો વગેરેમાં ખૂબ ફાયદો થાય છે.
4. નબળાઈ: 1 ચમચી મેથીના દાણા ઘીમાં શેકીને સવાર-સાંજ લેવાથી શારીરિક અને નર્વસની નબળાઈ દૂર થાય છે.
5. માસિક ધર્મમાં અનિયમિતતા: 4 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. અડધું પાણી બાકી રહી જાય પછી ગાળીને ગરમ-ગરમ લેવાથી માસિક ધર્મ ખુલ્લેઆમ શરૂ થાય છે.
6. હાથપગની સખતાઈ ખેચાણ: શેકેલા મેથીના લોટમાં ગોળનું શરબત ભેળવીને લાડુ બનાવો. દરરોજ સવારે 1 લાડુ ખાવાથી હવાના કારણે અટકેલા અંગો 1 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે અને હાથ-પગનો દુખાવો પણ દૂર થાય છે.
7. વિશેષઃ શિયાળામાં મેથી, મેથીના લાડુ, મેથીના દાણા અને મગ-દાળના રૂપમાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
મહત્વપૂર્ણ
 હાર્ટ એટેક અને ગરમ પાણી પીઓ!
જમ્યા પછી ગરમ પાણી પીવા વિશે જ નહીં પણ હાર્ટ એટેક વિશે પણ આ એક સારો લેખ છે.
ચાઈનીઝ અને જાપાનીઝ તેમના ભોજન પછી ગરમ ચા પીવે છે, ઠંડુ પાણી નહીં. હવે આપણે પણ તેની આ આદત અપનાવવી જોઈએ. આ લેખ એવા લોકો માટે છે જેમને જમ્યા પછી ઠંડુ પાણી પીવું ગમે છે.ભોજન સાથે કોઈ પણ ઠંડુ પીણું અથવા પાણી પીવું ખૂબ જ હાનિકારક છે કારણ કે ઠંડુ પાણી તમારા ખોરાકમાં રહેલા તૈલી પદાર્થોને ઘન સ્વરૂપમાં ફેરવે છે.તેનાથી પાચનક્રિયા ખૂબ જ ધીમી થાય છે. જ્યારે તે એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે તે તૂટી જાય છે અને ટૂંક સમયમાં આંતરડા દ્વારા ઘન ખોરાક કરતાં વધુ ઝડપથી શોષાય છે. તે આંતરડામાં ભેગી થાય છે. પછી ટૂંક સમયમાં તે ચરબીમાં ફેરવાય છે અને કેન્સરના વિકાસનું કારણ બને છે. તેથી જમ્યા પછી ગરમ સૂપ અથવા નવશેકું પાણી પીવું શ્રેષ્ઠ છે. સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. આ લોહીના ગંઠાવાનું બંધ કરશે અને તમે હાર્ટ એટેકથી બચી શકશો.