Atul from

Wednesday 8 December 2021

પ. પૂ. મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ

પ.પૂ. મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ ભકિત નિકેતન આશ્રમ, દંતાલી-પેટલાદ. ** જન્મ તારીખ:- 22 એપ્રિલ 1932 ( ચૈત્ર વદ બીજ) ** જન્મ સ્થળ:- મોટી ચંદુર, જિ.પાટણ. (મોસાળ) ** વતન:- મુંજપુર. ** નામ:- ન્હાનાલાલ ત્રિવેદી ** પિતાજી:- મોતીલાલ ત્રિવેદી ** માતાજી:- વહાલીબેન ** ભાઇ: 1. સ્વ.ડાયાલાલ એમ.ત્રિવેદી 2. સ્વ. ચિમનલાલ એમ.ત્રિવેદી ** પૂર્વાશ્રમ:- રાધનપુર અને બીલીમોરા માં પ્રાથમિક શિક્ષક. ** 1953:-21 વર્ષની ઉંમરે બીલીમોરાથી પગપાળા ગૃહત્યાગ.( વાંચો મારા અનુભવો ) પોણા ભાગના ભારતનું પગે ચાલીને ભ્રમણ, સન્યાસી બનીને પ્રથમ રાત ભીખારીઓ વચ્ચે સુરતની ધર્મશાળામાં વિતાવી. ** 1954:- ગુરુની શોધ અને બ્રહ્મચર્યદીક્ષા : પ્રયાગરાજના કુંભમેળામાં. ** 1955:- વૃંદાવનમાં 'લઘુકૌમુદી' નો અભ્યાસ, કાશીમાં 12 વર્ષ સુધી અભ્યાસ. ** 1956:- પંજાબનાં ફીરોજપુર શહેરમાં સ્વામી શ્રીમુકતાનંદજી પાસે સંન્યાસદીક્ષા. ** 1966:- 'વેદાન્તાચાર્ય' (શાંકર વેદાંતના મુખ્ય વિષય સાથે)ની પદવી, યુનિવર્સિટીમા પ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા (બનારસ) ** અમરનાથ યાત્રા ત્રણ વાર. ** કાશીને વિદાય. ** ગુજરાતમાં. ** 1968:- સંપૂર્ણ ભારતયાત્રા. ** 1969:-દંતાલી(પેટલાદ)માં શ્રી ભક્તિ નિકેતન આશ્રમની સ્થાપના. ** 1970:- પૂર્વ આફ્રીકાનો પ્રવાસ. ** 1973:- સૂઇગામ (બનાસકાંઠા)માં દુષ્કાળ રાહત કાર્ય અને 'મહર્ષિ કણાદ ગુરુકુળ' માધ્યમિક શાળા અને છાત્રાલય ની સૂઇગામમાં સ્થાપના. ** નડેશ્વરી માતાજી મંદિર (નડાબેટ-ભારત-પાકીસ્તાન સરહદ)નો સંપૂર્ણ વિકાસ અને બારેમાસ સદાવ્રતની સેવા, દર રામનવમીએ લોકમેળો અને હજારો લોકોને ભોજન પ્રસાદ. ** રાજસ્થાન થી કચ્છ સુધીની ભારત-પાકિસ્તાન સરહદ પર સખત ગરમીમાં સેવા આપતાં આપણા BSF ના વીર જવાનોને સાયકલ, વોટર કૂલર અને વારંવાર મિઠાઈ તથા જરૂરી વસ્તુઓનું વિતરણ. ** ભારતયાત્રા ત્રણ વાર. ** 1974:- દંતાલી-પેટલાદના આશ્રમમાં સમાજસેવાની પ્રવૃત્તિઓ. ** 1974:- દંતાલી-પેટલાદના આશ્રમનું ટ્રસ્ટ કર્યું તથા વાલમ (તા.વીસનગર)માં બ્રહ્મસુત્ર અને 'ભારતીય દર્શનો' વિશે વ્યાખ્યાનો આપ્યાં ‌જે એમના પ્રથમ પુસ્તક રૂપે પ્રકાશિત થયાં. ** કુલ 85 થી વધુ દેશોની વિદેશયાત્રા દ્વારા તુલનાત્મક અભ્યાસ કરી ને જે તે યાત્રા વિશેના સુંદર પુસ્તકો લખ્યાં. 1985:- 'સંસાર રામાયણ' અને' શ્રી કૃષ્ણલીલા રહસ્ય' બંને પુસ્તકોને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક (ગુજરાતી સાહીત્ય પરિષદ.) ** 1986:- 'મારા અનુભવો' પુસ્તકને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક (ગુજરાતી સાહિત્ય પરિષદ) તથા નર્મદ ચંદ્રક, સુરત તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. ** પુસ્તક 'વેદાન્ત સમીક્ષા' ગુજરાતી સાહિત્ય દ્વારા પુરસ્કૃત. ** 1987:- 'ચાલો, અભિગમ બદલીએ' તથા 'નવા વિચારો' અને 'પૃથ્વી પ્રદિક્ષણા' (1990-91) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. ** 150 થી વધું પુસ્તકો લખ્યાં છે અને આ પુસ્તકોના હીન્દી, અંગ્રેજી તથા મરાઠી ભાષામાં અનુવાદ થયાં છે.( સંકલન સાથે તેનાથી વધુ પુસ્તકો). ** 5000 થી વધું પ્રવચનો દ્રારા સમાજમાં જાગૃતિ લાવી રહ્યાં છે. ** 1988-89: દધીચિ એવોર્ડ:- ('હેલ્પિગ હેન્ડ'-અમદાવાદ). ** આનર્ત એવોર્ડ: મહેસાણા-(ઉ‌.ગુજરાત) ** શ્રી ગોન્ધિયા એવોર્ડ: રાજકોટ: ધર્મમય માનવસેવા માટે દિવાળીબહેન મહેતા ટ્રસ્ટ (મુંબઈ) દ્રારા એવોર્ડ. ** ગુજરાત દૈનિક પત્રકાર સંઘ દ્વારા 'લોકસાગરને તીરે તીરે' (સંદેશ)માં ચિંતન લક્ષી કટારલેખન માટે એવોર્ડ. ** 1994:- વિદેશયાત્રા. દક્ષિણ અમેરિકા અને અન્ય દેશો. ** 1998-2000:- દ.આફ્રિકા, યુરોપ, ટાન્ઝાનિયા અને ચીનની યાત્રા. ** 2006:- આંદામાન અને ન્યુઝીલેન્ડ તેમજ શ્રીલંકા નો પ્રવાસ. ** 2001:- કચ્છનાં ભુકંપમાં રાપરમાં રાહત કેમ્પ અને સૌનાં માટે રસોડું તથા જીવન જરૂરી વસ્તુઓ, તાડપત્રી અને ટેન્કરો દ્રારા પાણીની સેવા સાથેનો સેવાયજ્ઞ કર્યો. ** નર્મદા બંધના વિરોધીઓનો વિરોધ કરીને સરદાર સરોવર ડેમ પૂર્ણ કરવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ. ** જળ સંકટ દૂર કરવા માટે ગુજરાતનાં અનેક તળાવોને ઊંડા કરાવી આપ્યાં. ** ચેકડેમ બાંધવા માટે અનેક ગામોને આર્થિક સહયોગ. ** અનેક શાળાઓના વર્ગખંડો બનાવી આપ્યા. ** વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને વર્ણ-કોમ, જ્ઞાતિના ભેદભાવ વિના અત્યાર સુધીમાં રુ.26,0000000 ( છવ્વીસ કરોડ રુપિયા) થી વધુનું દાન અર્પણ કર્યું છે. ** દંતાલી, કોબા-ગાંધીનગર અને ઊંઝાના ત્રણેય આશ્રમમાં વૃદ્ધાશ્રમો તથા સેવાકીય પ્રવૃત્તિઓ. ** તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૉલરશિપ અને મફત પુસ્તકો. ** સેવાભાવી મહિલા અગ્રણી તથા સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને એવોર્ડ. ** મૂલ્યનિષ્ઠ સાહિત્યકારનું દર વર્ષે સન્માન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદને રૂપિયા 300,000 (ત્રણ લાખ) નું દાન. ** લોહીની જરૂરીયાતને પુરી પાડવા માટે અનેકવાર રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરીને હજારો બોટલ રક્ત બ્લડ બેન્કોને અર્પણ. ** "ક્રાંતિચક્ર" એવોર્ડ રૂ.1,51,00,000 (રૂપિયા એક કરોડ એકાવન લાખ)નું સૌરાષ્ટ્રમાં ચેકડેમ બાંધવા માટે દાન આપ્યું. આ ઉપરાંત... * ફેસબુક પેજ:- "ગુરુ નહીં માર્ગદર્શક" * ફેસબુક ગૃપ:- "મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ" * વોટ્સએપ ગૃપ:- "વીરતા પરમો ધર્મ" * યુ ટ્યુબ ચેનલ:- સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ. * ફ્રી વેબસાઇટ:- www.sachchidanandji.org * Telegram Group:- "એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ." જેવી અસંખ્ય સોશ્યલ મીડિયા સાઈટ, ફોલોવર્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જાગૃતિ લાવવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. 👉 તા. 05/12/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે સતત ત્રીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. 👉 તા. 02/12/21 ને ગુરુવારે પૂજ્ય સ્વામીજીના ઊંઝાના આશ્રમ પરથી ધાબાળાનું વિતરણ કરવામા આવ્યું. 👉 તા. 28/11/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે બીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. 👉 તા. 14/11/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુ પહેલાં જ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. 👉 આ ઉપરાંત તા.06/06/2021 ને રવિવારે કર્મકાંડી બ્રાહ્મણો ને અનાજ અને રોકડ રકમ આપવામાં આવી હતી અને પેટલાદનાં ઘોડાગાડી (બગી)વાળાને પણ રોકડ રકમ આપીને સહાય કરવામાં આવી હતી. ** પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ (દંતાલી)થી લૉકડાઉનના કપરાં સમય દરમિયાન અને ત્યારબાદ પણ જરૂરિયાતમંદ હજારો પરિવારોને સંપૂર્ણ રાશનકીટ નું વિતરણ અને ત્યારબાદ વારંવાર અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું, ધાબળાનું પણ વિતરણ કરાયું. કૉવિડ-19 નાં બીજા વેવમાં પહેલાં કરતાં પણ ભયંકર પરિસ્થિતિ ઉભી થઈ અને બિમાર માણસોને પડતી વિવિધ મુશ્કેલીઓ જોઈને અને તેમાં પણ ઓક્સીજનની અછત જોઈને પૂજ્ય સ્વામીજીનું હ્રદય કકળી ઉઠ્યું એટલે તેઓએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ઓક્સિજનનો પ્લાન્ટ ઊભો કરવામાં આવે તે માટે રૂપિયા 3500000 (પાંત્રીસ લાખ પુરા)આપીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું. પૂજ્ય સ્વામીજીના "ભક્તિ નિકેતન આશ્રમ" દ્વારા ત્રણ વૃદ્ધાશ્રમ, રાહતનાં દવાખાના, સદાવ્રત, છાસ કેન્દ્ર, ચા સેન્ટર, શિષ્યવૃત્તિ, વિધવા સહાય, મેડીકલ સહાય, કપડાનું દાન, ધાબળાનું દાન, ગરીબ પરિવારોને રોકડ સહાય, વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ અને માત્ર 1 રુપિયામાં (જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના) સ્મશાનમાં લાકડાંની સહાય, સેવાભાવી સંસ્થાઓને લાખો/કરોડો રુપિયાનું (છવ્વીસ કરોડ રૂપિયા થી વધુ)નું દાન આપીને દરેક સમાજ, સાધુ સંસ્થાઓ, સંપ્રદાયો, પરિવારો અને મંડળોને... 1) "માનવતાથી મોટો કોઈ ધર્મ નથી" 2) "સંપ્રદાય મૂક્ત ધાર્મિકતા" તથા 3) "એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ" સુત્રને સાર્થક કરીને સાચી રાહ બતાવી રહ્યાં છે અને દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આપતાં એકમાત્ર યુગપ્રવર્તક, સંત, ઋષિ એવાં પરમ પૂજ્ય મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસજી ના ચરણોમાં સહ્યદય કોટી કોટી પ્રણામ. ( તા.ક. પૂજય સ્વામીજી હાલમાં 90 વર્ષની ઉંમરે પણ તન, મન અને ધનથી સતત સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. પોતાની અંગત જરૂરિયાત માટે AC તો દુરની વાત છે, પરંતુ પંખો પણ ચલાવતાં નથી અને તેઓ સાદી લાકડાંની પાટ પર જ આરામ કરી લે છે.) 🙏સંકલન:-અશ્વિન રાવલ, સુરત🙏 "એક્તા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ" "સંપ્રદાય મૂક્ત ધાર્મિકતા" "માનવધર્મ શ્રેષ્ઠ ધર્મ" 🙏🙏🙏 હરિૐ

Sunday 17 October 2021

અડીકડી વાવ ને નવઘણ કુવો

નવઘણ કૂવો : જૂનાગઢ અડીકડી વાવ ને નવઘણ કુવો જે ન જુએ તે જીવતો મૂઓ...!!! નવઘણ કૂવાનું નામ ચુડાસમા રાજા રા' નવઘણ પરથી પડ્યું છે. કૂવા સુધી પહોંચવાના પગથિયા કદાચ તેના શાસનકાળમાં ૧૧મી સદીમાં બાંધવામાં આવ્યા હતા. તેનું બાંધકામ તેના પુત્ર રા' ખેંગારના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે. કૂવાને તેના પગથિયાં કરતાં જૂનો મનાય છે. કેટલાક વિદ્વાનો તેને સૌથી જૂની વાવનું ઉદાહરણ માને છે. તે ઉપરકોટની ગુફાઓ નજીક આવેલો છે. કૂવો કદાચ ક્ષત્રપ સમયગાળા (૨-૪થી સદી) અથવા મૈત્રકકાળ (૬-૭મી સદી) દરમિયાન બાંધવામાં આવ્યો હતો. એક નાની સીડી કમાનવાળા દ્વાર વડે બાહ્ય ભાગ તરફ દોરી જાય છે. કૂવો પગથિયાઓના છેક છેડા પર આવેલો છે. કૂવામાંના પાણી સુધી કૂવાની દિવાલો પર બનાવેલી વર્તુળાકાર સીડીઓ વડે પહોંચી શકાય છે. આ દિવાલો પરના ચોરસ છિદ્રો અંદરના ભાગને પ્રકાશિત તેમજ ઠંડો રાખે છે તે રાજ્ય સંરક્ષિત સ્મારક (s-gj-116) છે. જૂનાગઢ આવનાર પ્રવાસી ઉપરકોટ ન જાય એવું ન બને. અને ઉપરકોટની મુલાકાતે જનાર પ્રવાસીના કાને અડી કડી વાવ ને નવઘણ કુવો, જે ન જુએ એ જીવતો મુઓ કહેવત અચૂકપણે તેના કાને પડી જ હોય. વાવના નામ બાબતે બે કિંવદંતીઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે રાજાએ વાવ બનાવવા માટે આદેશ કર્યો હતો. મજૂરો સખત પથ્થરને ખોદતાં-ખોદતાં નીચે તરફ જતા હતા. પણ પાણી મળતું ન હતું. ત્યારે રાજગુરુએ જણાવ્યું કે, બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવાથી પાણી મળશે. અડી અને કડી નામની બે કુંવારી કન્યાઓની પસંદગી થઇ અને તેમનું બલિદાન આપવામાં આવ્યું. વાવમાં પાણી મળી આવ્યું અને એ બે કન્યાઓની યાદમાં વાવનું નામ અડી-કડી વાવ પાડવામાં આવ્યું હતું. બીજી કથા પ્રમાણે આ વાવ બાંધવામાં આવી એ પછી એ વાવમાંથી કોઇ પાણી ભરતું ન હતું, પણ રાજકુટુંબની બે દાસીઓ અડી અને કડી તેમાંથી પાણી ભરતી હતી. આથી તેનું નામ અડીકડી વાવ રાખવામાં આવેલું છે. આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડીકડીની યાદમાં લોકો કપડાં અને બંગડીઓ ટીંગાડે છે. 162 પગથિયાં 4.75 મીટર પહોળાઇ 81 મીટર લંબાઇ 41 મીટર ઊંડાઇ નવઘણ કૂવો ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢમાં આવેલી એક વાવ છે. વિશેષ માહિતી : પ્રકાર - વાવ સ્થાપત્ય શૈલી - ભારતીય સ્થાપત્ય સ્થાન - ઉપરકોટ કિલ્લો નગર અથવા શહેર - જુનાગઢ દેશ - ભારત અક્ષાંશ-રેખાંશ - 21.5238°n 70.4692°e બાંધકામની શરૂઆત - ૨જી-૭મી સદી પૂર્ણ - ૧૧મી-૧૨મી સદી રચના અને બાંધકામ - સ્થપતિ સ્થાનિક asi રાજ્ય સંરક્ષિત સ્મારક ક્રમાંક s-gj-116 જુનાગઢ એટલે સંતોની ભૂમિ! હિમાલયનો પણ પિતામહ ગરવો ગિરનાર ત્યાં વસે છે. સૌરાષ્ટ્રના વિસ્તારના જુનાગઢના જ વતની અને લોકડાયરા માટે સુપ્રસિદ્ઘ ભીખુદાનભાઇ ગઢવી કહે છે કે, 'દુનિયાનો નકશો તમે જોશો તો તેમાં હૃદય સ્થાને ભારત છે. ભારતનો નકશો જોશો તો તેમા હૃદય સ્થાને ગુજરાત છે. ગુજરાતનો નકશો જોશો તો તેમાં હૃદય સ્થાને સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રનો નકશો જોશો તેમાં હૃદય સ્થાને ગિરનાર છે.' અદ્‌ભૂત નિરિક્ષણ....!!! સંતો અને સાધુઓને સાધના કરવા માટે ગિરનાર આ જગતમાં શ્રેષ્ઠ સ્થળ છે. જુનાગઢ નસીબદાર છે કે, તેની પાસે ગિરનાર છે. ગિરનારનું પૌરાણિક નામ એટલે રૈવતગિરી... કોઇપણ વ્યકિત જુનાગઢ આવે એટલે ગિરનાર, દાતાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, દરબારગઢ અને ઉપરકોટનો કિલ્લો અચૂક જોવા જાય. ઉપરકોટના કિલ્લામાં આવેલી અડીકડી વાવ અને નવઘણ કુવા માટે લેખના શિર્ષકમાં મૂકેલી ઉકતિ પ્રચલિત છે. જુનાગઢ એટલે બાબી વંશનું રજવાડું. લગલગાટ ૨૦૦ વર્ષ સુધી બાબી વંશએ જુનાગઢ ઉપર રાજ કર્યુ. હિંદુસ્તાનને આઝાદી મળી એ પહેલા અનેક નાના-મોટા રજવાડા હતા. કાઠિયાવાડમાં કુલ ૨૦૨ રજવાડા હતા. આ દરેક રજવાડા અંગ્રેજોનું આધિપત્ય સ્વીકારીને પોતાના રજવાડામાં હકૂમત ચલાવતાં હતા. ઇ.સ. ૧૭૦૭માં દિલ્હીમાં મોગલ બાદશાહ ઔરંગઝેબના અવસાન બાદ અરાજકતા ઊભી થઇ હતી. બાદશાહના નબળા વારસદારો મરાઠાઓની સત્તા સામે ટકી શકયા નહી. નાના-મોટા રજવાડાઓ અને સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા. આવા સમયે અમદાવાદના મોગલ સૂબાના ગવર્નર તરીકે જુનાગઢમાં રાજયની જવાબદારી સંભાળી રહેલા બહાદૂરખાન ઉર્ફે શેરખાન બાબીએ તકનો લાભ લઇને ઇ.સ. ૧૭૪૮માં જુનાગઢમાં સ્વતંત્ર રાજયની સ્થાપના કરી હતી. બાબી વંશની ધરોહર સ્થાપાઇ અને એ પછી જે કોઇ જુનાગઢની ગાદી ઉપર આવ્યા તેમને બ્રિટિશ સરકાર તરફથી ૧૫ તોપોની સલામી મળતી હતી. આ પરંપરા ઇ.સ. ૧૯૪૭માં હિંદુસ્તાન આઝાદ થયું ત્યાં સુધી ચાલુ રહી. આઝાદી બાદ દેશી રજવાડાઓનું અખંડ ભારતમાં વિલિનીકરણની પ્રક્રિયા શરૂ થઇ ત્યારે જુનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવવાની ઇચ્છા પ્રગટ કરી હતી પણ સરદાર વલ્લભભાઇ પટેલના પ્રયત્નોથી જુનાગઢ અખંડ ભારતનો એક ભાગ બન્યું. જુનાગઢના છેલ્લા નવાબ મહોબતખાન(ત્રીજા) ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા. ૯, નવેમ્બર, ૧૯૪૭ના રોજ રાજકોટ ખાતેના રિજયોનલ કમિશનરે જુનાગઢની રિયાસતનો કબજો સંભાળ્યો હતો. નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ તેનો રાજમહેલ અને કચેરી તથા તમામ ચીજ વસ્તુઓ સરકારે પોતાના હસ્તક લીધી હતી. નવાબની રિયાસતનો એક માત્ર અકબંધ કિલ્લો નામે ઉપરકોટને સંભાળવાની જવાબદારી પણ સરકારે પોતાના હસ્તક રાખી હતી. જુનાગઢમાં આવેલો ઉપરકોટ કિલ્લો ૨૨૦૦ વર્ષ પહેલા રા'ગ્રહરીપુએ બંધાવ્યો હતો એવું ઇતિહાસમાં નોંધેલું છે. રા'ખેંગાર જેવા પ્રતાપી રાજાઓ તેમજ રાણકદેવીની સતી વની કથા ઉપરકોટ સાથે વણાયેલી છે. જે-તે સમયે બંધાયેલો આ કિલ્લો એ સમયની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેનું બાંધકામ અને કિલ્લામાં આવેલા વિવિધ વિભાગો એ સમયના રાજવીઓની પ્રખર બુદ્ઘિ પ્રતિભાનું પ્રતિબિંબ છે. આજે જુનાગઢનો વિસ્તાર વધી ગયો છે પણ એક સમયે જુનાગઢનો વિસ્તાર ઉપરકોટના કિલ્લા પૂરતો સિમીત હતો. આશરે ૧૧મી સદીમાં બાંધવામાં આવેલો આ કિલ્લો નગર વ્યવસ્થા અને તેના રક્ષણ માટે તેમાં મૂકવામાં આવેલી તોપ ભાવિ પેઢીને ઇતિહાસમાં ડોકિયું કરાવે છે. આશરે બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલો ઉપરકોટનો કિલ્લો જોવા માટે લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે. ઇતિહાસ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતાં લોકો આ કિલ્લાને જોવા આવે છે ત્યારે અનેક અસુવિધાઓ ભોગવે છે. ગુજરાત રાજયનો એક માત્ર અકબંધ કિલ્લો જાળવણીના અભાવે અત્યંત જર્જરિત અવસ્થામાં છે.હજારો પ્રવાસીઓ વર્ષ દરમિયાન આ કિલ્લો જોવા આવે છે ત્યારે અન્ય સુવિધાઓની તો વાત જ જવા દો તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. તંત્ર દ્વારા આ કિલ્લાની દરકાર કરવામાં આવતી નથી. આ કિલ્લાના વિકાસ માટે વર્ષોથી એક સમિતી બનાવવામાં આવેલી છે પણ લાગે છે કે તે ફકત કાગળ ઉપર જ સિમીત છે. વિનીત કુંભારાણા એ પણ ઘણી વાત નોંધ કરેલી છે જે આ મુજબ છે. અગાઉ જણાવ્યા પ્રમાણે જુનાગઢ પહેલા ઉપરકોટના કિલ્લામાં વસતું હતું આથી આ કિલ્લામાં સંરક્ષણના હિતાર્થે મુકવામાં આવેલી તોપની સાથે અનાજ ભરવાના ગોદામોની સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એટલે અડીકડી વાવ અને નવઘણ કુવો... ઉપરકોટના કિલ્લામાં બૌદ્ઘ ગુફાઓથી આગળ જતાં અડીકડી વાવ અને નવઘણ કુવો આવેલા છે. લેખના શિર્ષકમાં મૂકેલી ઉકતિનો અર્થ એ થાય છે કે, જેમણે તેના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત લીધી ન હોય તેનું જીવન વ્યર્થ છે. અડીકડી વાવનું સર્જન એક જ પથ્થર(ખડક) કાપીને કરવામાં આવેલું છે. કુલ ૧૬૨ પગથીયાની સાંકડી સીડી ધરાવતી આ વાવ ૮૧ મીટર લાંબી, ૪.૭૫ મીટર પહોળી અને ૪૧ મીટર ઊંડી છે. આ વાવ એક સળંગ ખડક(સાગ પથ્થર)ને કાપીને બનાવવામાં આવેલી છે. જોકે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે, કૂટ, મોભ કે ગવાક્ષો આ વાવમાં નથી. જટિલ ભૂસ્તરીય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્રોતને શોધવાની કુશળતા વ્યકત કરે છે. આ વાવમાં કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નથી કે નથી કયાંય કોઇ જાતનું લખાણ. આ વાવ કેટલો સમય જુની હશે તે કહેવું કદાચિત મુશ્કેલ છે પણ આ વાવ પ્રાચિન વાવમાંની એક વાવ છે એવું જરૂર કહી શકાય છે. આ વાવના પગથીયા ઉતરતાં હોઇએ ત્યારે આપણે ભૂગર્ભમાં ઉતરતાં હોઇએ એવું લાગે છે અને વાવ પાસે પહોચતાં ભૂગર્ભમાં આવી ગયા હોઇએ એવી અનુભૂતિ થાય છે. મોટાભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરોના સ્તંભો, તળિયા, સીડીઓ અને દિવાલો જમીન ઉપરના બાંધકામની જેમ બનાવવામાં આવે છે. અડીકડી વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે આથી તેના સ્તંભો અને દિવાલ જેવું માળખું મૂળ ખડકની બહાર છે. અહી વાવના સંદર્ભનું કોઇ માળાખાકિય બાંધકામ કરવામાં આવેલું નથી. હાલમાં આ વાવમાં પાણી છે પણ તે અવાવરું અને દુર્ગંધ મારતું હોવાથી તેનો ઉપયોગ થઇ શકતો નથી. આ વાવ ૧૫મી સદીમાં બનાવવામાં આવેલી છે એવું માનવામાં આવે છે. નવઘણ કુવો મૃદુ ખડકમાંથી બનાવવામાં આવેલો છે. કુવા સુધી પહોચવા માટે સર્પાકારે બાવન મીટર સુધી પગથીયા છે એટલે આ કુવો પણ એક પ્રકારની વાવ જ કહી શકાય પણ તે નવઘણ કુવા તરીકે પ્રખ્યાત છે. આ કુવા પાસે દર્શાવેલી માહિતી અનુસાર આ કુવાનું નામ રા'નવઘણ(ઇ.સ. ૧૦૨૫-૪૪) ઉપરથી પડયું છે. જે સ્થળેથી કુવામાં જઇ શકાય છે ત્યાં આગળ એક મોટું થાળું છે જે કદાચ રા'નવઘણના સમયમાં બનેલું છે. કુવા સુધી પહોચવા માટે પહેલા સીધા અને પછી જમણી તરફ સર્પાકારે પગથીયા છે. આ સર્પાકાર સીડીમાં બાંકોરા રાખવામાં આવેલા છે જેથી સુર્યપ્રકાશનું અજવાળું રહે! કેટલાક અભ્યાસી લોકો આ કુવાને વાવનું જુનામાં જુનું સ્વરૂપ પણ કહે છે. જુનાગઢનો વિસ્તાર ખડકાળ છે. ત્યાં નાના-મોટા અસંખ્ય ડુંગરો આવેલા છે. ઉપરકોટનો કિલ્લો આવા જ એક ડુંગર ઉપર બાંધવામાં આવેલો છે. આ કિલ્લામાં ઉપર તરફ જતાં વિશાળ તોપ મૂકવામાં આવેલી છે. કહેવાય છે કે, દુશ્મનો માટે આ તોપ પૂરતી હતી. આ તોપ જયાં રાખવામાં આવેલી છે ત્યાં બાજુમાં જ બે મોટા સરોવર આવેલા છે. ચારે બાજું ડુંગરોથી ઘેરાયેલા ઉપરકોટ કિલ્લાની વચ્ચે ઊંચાઇ ઉપર આવેલા આ બે સરોવરો પણ સુંદર છે. ઉપરકોટના કિલ્લામાં જ રાણકદેવીનો મહેલ આવેલો છે. આ મહેલની સાથે તેમનો લગ્ન મંડપ પણ આવેલો છે. તંત્રની અવગણનાને કારણે ૨૨૦૦ વર્ષ પહેલા ધબકતું જીવન આજે ધૂળ ખાઇ રહ્યું છે. વધુ માહિતી હોય તો જણાવી શકો છો તેમજ કોઈ ભૂલ હોય તો પણ જણાવજો જેથી કરી ને સુધારો કરી શકાય આભાર.

Friday 6 August 2021

બાબા રામદેવ પીર

"મેઘવાળ બાબા રામદેવપીર" :અવતારવાદના શિકાર એક ક્રાંતિકારી મહામાનવ: બાબા રામદેવપીર. રામદેવપીર નો જન્મ - ચૈત્ર સુદ પાંચમ, સવંત ૧૪૦૯ એટલેકે આજ થી ૬૬૮ વર્ષ પહેલા થયેલ હતો. જન્મ સ્થળ - ઉંડુ કસ્મીર, જી-બાડમેર, રાજસ્થાન મૂળ પિતા નું નામ - સાયર મેઘવાળ મૂળ માતા નું નામ - મગની મેઘવાળ પાલક પિતા - રાજા અજમલદે તંવર પાલક માતા - રાણી મીણલદે તંવર રાજા અજમલદેના પુત્ર અને રામદેવપીરનાં મોટા ભાઈનું નામ - વિરમદે રામદેવપીરની બહેનોના નામ - લાશા, સુગના, અને ડાલીબાઈ (ડાલીબાઈ એ મગનીબાઈ અને સાયર મેઘવાળની દિકરી તથા રામદેપીરની સહોદર બહેન હતી) રામદેવપીર ની પત્નીનું નામ - નેતલદે રામદેવપીરનાં કુળગુરૂનું નામ- બાલીનાથ રામદેવપીરનાં ધર્મગુરૂ નું નામ- દેવુબાઈ મેઘવંશી રામદેવ નો જન્મ થયો એ સમયે ભારતમાં અન્યાય પર આધારિત અસમાનતા, અસ્પૃશ્યતા, ઉંચનીચ જેવા ભેદભાવો ની પક્ષધર વર્ણવ્યવસ્થા તેમજ જાતિવ્યવસ્થા ચરમસીમા પર હતી. પછાત જાતિઓ જેવીકે આજની અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ કણબી(પાટીદાર) સહિત નાઓને શિક્ષણ, સંપત્તિ જેવા માનવીય અધિકારો થી વંચિત કરી દેવામાં આવ્યા હતાં. પછાત જાતિઓ રાજા રજવાડાઓ અને બ્રાહ્મણોના અત્યાચારનો શિકાર થઈ રહી હતી. પછાત જાતિઓ પર દમન, શોષણ, ઉતપીડન, અન્યાય કરવો અસમાનતા રાખવી વગેરે જેવા ભેદભાવો ને ધર્મસંમત માનવામાં આવતું હતું. પછાત વર્ગનાં લોકોનું જીવન જાનવરો થી પણ ઉતરતી કક્ષાનું બની ગયું હતું. તે સમયે બાબા રામદેવપીર જેવા પરિવર્તનવાદી, બુદ્ધ પરંપરાના વાહક, મહાન સંત પુરૂષનો જન્મ થયો. બાબા રામદેવપીરે આ અસમાન અને ઉંચનીચતા વાળી સમાજ વ્યવસ્થા એટલેકે બ્રાહ્મણી, મનુવાદી વ્યવસ્થા સામે વ્યવસ્થિત બંડ પોકારેલ અને તેની પોલ ખોલેલ હતી. બાબા રામદેવપીરે મનુવાદી(બ્રાહ્મણી) વ્યવસ્થા મીટાવવા અને લોકોને આ અસમાનતા વાળી મનુવાદી વ્યવસ્થા તથા અંધશ્રદ્ધા માંથી બહાર કાઢવાના અથાગ પ્રયાસો કરેલા. આમ રામદેવપીર એ એક ક્રાંતિકારી સંત પુરુષ હતાં તથા તથાગત બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે જે બોધ આપેલ અને વ્યવસ્થા પરિવર્તન ની વાત કહેલ એ જ વાત, એ જ બોધ સંત રામદેવપીરે આપેલ હતો પરંતુ કાળક્રમે જેમ આપણા અન્ય સંતોનું બ્રાહ્મણીકરણ કરી નાખવામાં આવ્યું હતું તેમ રામદેવપીરનુ પણ થયું. (સંદર્ભ - લેખિકા ડૉ. કુસુમ મેઘવાળએ લખેલ પુસ્તક "અવતારવાદના શિકાર એક ક્રાંતિકારી મહામાનવ, મેઘવાળ બાબા રામદેવ")રામદેવપીરે કરેલી સામાજિક ક્રાંતિ ને પણ મનુવાદીઓ દ્વારા દબાવી દેવામાં આવી અને રામદેવપીર ને પણ અવતારી પુરૂષ બનાવી દેવામાં આવ્યાં. આપ સૌને ખબર છે અને તેના સવંત પણ મળે છે જે અનુસાર સંત બાબા રામદેવ નો જન્મ ચૈત્રસુદ પાચમ સવંત ૧૪૦૯માં એટલેકે ૬૬૮ વર્ષ પહેલા થયો હતો અને તેના પછી એટલેકે ૨૭૪(બસો ચુમોતેર) વર્ષ પછી હરજીભાટીનો જન્મ થયેલ હતો. આ હરજીભાટીએ જ સંત રામદેવપીરનું બ્રાહ્મણીકરણ કરી નાખેલ અને રામદેવપીર ને અવતારવાદમાં ખપાવી, રામદેવપીર વિશેની મનઘડંત કથાઓ બનાવી, તેનો પ્રચાર-પ્રસાર કરેલ હતો. હરજીભાટી પહેલા કોઈપણ ચારણ-ભાટ કે કવિઓએ સંત બાબા રામદેવપીરનાં મહિમા વિશે કંઈ લખ્યુ નથી. સંત બાબા રામદેવ પીરનાં ૨૭૪વર્ષ પછી હરાજીભાટીએ સંત રામદેવપીર ની સામાજિક ક્રાંતિને દબાવી દેવા માટે એક ષડયંત્રનાં ભાગરૂપે રામદેવપીર ને ઈશ્વરનો અવતાર બનાવી ચમત્કારી બાબા બનાવી દીધા. અત્યાર સુધીનાં દરેકે દરેક કવિઓ, લેખકોએ સૌએ એક જ અવાજથી હરજી ભાટીના જૂઠ ને જ આગળ વધાર્યું છે. જે વાસ્તવિકતાથી હજારો કોસ દૂર છે. માત્ર "શ્રી રામદેવ ગપ્પા દર્શન" પુસ્તકનાં લેખક સ્વામી રામપ્રકાશ આચાર્ય (રાજસ્થાન) જ એક અપવાદ છે, જેમણે સંત બાબા રામદેવપીરની સાચી હકીકતને હિંમત સાથે ઉજાગર કરી. તથાગત બુદ્ધનું અંતિમ સત્ય જે તેઓના અનન્ય અને કાયમ સાથે રહેતા શિષ્ય 'આનંદ' સાથેના વાર્તાલાપ માંથી પ્રગટ થયું "અત્ત દિપ ભવ" જેમાં સ્વની અંતર જ્યોતિ ની વાત કરેલી હતી. મૂળનીવાસી બહુંજનોના તમામ પંથો, સંપ્રદાયો જેવાકે મહાધર્મ, સનાતનધર્મ, રામદેવપીર પાટઉપાસના, બુદ્ધ ધમ્મ તથા કચ્છની મહેશ્વરી પરંપરામાં પણ જ્યોતિનું મહત્વ છે. નરસંગપાટ ઉપાસનાનું પણ બ્રાહ્મણીકરણ થયું છે, આમાં પણ મૂળ તો જ્યોતિની જ વાત છે. મામઇદેવે પણ પોતાના વેદ(બોધ)મા કહ્યું છે કે - "જયોત નિપજી નિજતણી, ગર(ગુરૂ) દે જ્ઞાનપાણી, તાસ(તે) ધરમ્યા(ધર્મને માનવા વાળા)નો જીવ થાય નિજ નિર્વાણી, તારો કાગાભવ મટે, હંસાભવ હોય, તારા કરોળ ખોળીયાનાં કષ્મ ઉતારૂં, મામઇ ભણે મહેશ્વરીયા એ જીવ સરગાપરી સંચરે." પાટઉપાસનામાં, રામદેવપીરના આરાધમાં કહેવામાં આવ્યુ છે કે 'હું ઓહંગ સોહંગ થી ઉપજ્યો, સત શબ્દમાં સમાણું - રણુંકારની રેખમાં ધણી રામદેવજી'. બહુજન સંતોની દરેકે દરેક પરંપરાઓમાં જ્યોત-દિપક નું મહત્વ મુકવામાં આવ્યું છે. જે ઇસવીસન પૂર્વે ૫૬૩માં તથાગત બુદ્ધે કહ્યું હતુ "અત્ત દિપ ભવ" તું તારો દિવો બનીજા, તું સ્વયં પ્રકાશિત થઇજા, તું તારા સ્વને જાગૃત કર. તું ભીતર(નિજ)માં જો. તું સ્વ ને ઓળખી લે. જ્યારે જ્યારે મૂળનીવાસી બહુજન મહાપુરૂષો, સંતો જેવાકે તથાગત બુદ્ધ, સંત રોહીદાસ, સંત કબીર, સંત રામદેવપીર, ડૉ. બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરૂષો એ સમાજને જાગૃત કરી અસમાનતાવાદી બ્રાહ્મણવાદી, મનુવાદી વ્યવસ્થા માંથી બહાર લાવવાનો પ્રયાસ કરેલ ત્યારે ત્યારે આ બહુજન સંતો મહાપુરૂષો નું બ્રાહ્મણીકરણ કરી, તેઓને અવતારવાદમાં ખપાવી દેવામા આવેલ, તેઓની ક્રાંતિને તેમણે આપેલા બોધને દબાવી દઈ બ્રાહ્મણીકરણ કરી દેવામાં આવેલ. હમણાં હમણાં તાજેતરમાં તો કેટલાંક લોકો દ્વારા તથાગત બુદ્ધ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરનું પણ બ્રાહ્મણીકરણ કરીદેવામા આવ્યું છે અને તેઓને પૂજવામાં આવી રહ્યા છે. ખરેખર તો બુદ્ધ અને બાબાસાહેબએ આપેલા બોધને જીવનમાં ઉતારવો જોઈએ અને તે પ્રમાણે ચાલવું જોઈએ. તેમ ન કરતાં તેઓની પૂજા, અર્ચના થઈ રહી છે. જાગો મારા બહુજન મૂળનીવાસીઓ જાગો. આ બ્રાહ્મણી, મનુવાદી વ્યવસ્થાનાં ષડયંત્રને સમજો અને લોકોને સમજાવો. જાગો અને જગાઓ. આ અસમાન અને ઉંચનીચવાળી મનુવાદી વ્યવસ્થા માંથી મુક્ત થાઓ.

Tuesday 8 June 2021

પિંડે સો બ્રહ્માંડે


માનવ શરીર વિશે જાણો


૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણ પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.


૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઊલટી, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ (તેર) કુદરતી આવેગો છે.


૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.


૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.


૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.


૬. એક દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વાસ લેવા- છોડવાની પ્રક્રિયા કરે છે.


૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.


૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.


૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.


૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી.


૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે. 


૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.


૧૩. શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.


૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.


૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.


૧૬. શરીરની ચાર અવસ્થા  બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.


૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.


૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.


૧૯. આપણું શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે.


૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે. 


૨૧. ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.


૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.


૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.


૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.


૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન :


૧. આપણાં બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુકોષો છે.


૨. બન્ને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ છે.


૩. બન્ને ફેફસાંની રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૧૬૦૦ - સોળસો કિ.મી. થાય છે.


૪. એકી શ્વાસે માણસ ફેફસામાં ૪ (ચાર) લિટર હવા ભરી શકે છે.


૫. ૨૪ કલાકમાં માણસનું હૃદય ૧,૦૩,૬૮૦ વખત ધબકે છે.


૬. પુખ્ત વયના માણસના હૃદયનું વજન ૩૦૦  ગ્રામ હોય છે.


૭. હૃદયની લંબાઈ ૧૩ સે.મી; પહોળાઈ ૯ સે.મી અને જાડાઈ ૬ સે.મી. હોય છે.


૮. હૃદયની પમ્પીંગ વખતે લોહીને ૩૦ (ત્રીસ) ફૂટ દૂર ફેંકી શકે છે.


૯. એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં ૭૨૦૦ લિટર લિ.લોહી હૃદય પમ્પીંગ કરે છે.


૧૦. ફક્ત નાડી તપાસી આયુર્વેદ ૩૮ (આડત્રીસ) રોગોનું નિદાન કરી શકે છે.


૧૧. રાત્રે હૃદયના ધબકારા ૫૫ અને દિવસે ૭૨ હોય છે.


૧૨. પગના અંગુઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે.


૧૩. આ રક્તવાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો તો લંબાઈ ૬૦,૦૦૦ કિ.મી. થાય છે.


૧૪. પુખ્ત વયની વ્યકિતમાં કુલ : ૭( સાત) લિટર લોહી હોય છે.


૧૫. લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતાં માત્ર ૨૦ (વીસ) સેકન્ડ લાગે છે.


૧૬. આપણે એક મિનિટમાં ૨૫૦ સ્.ન્ પ્રાણવાયુ લઈ ૨૦૦ સ્.ન્ અંગાર વાયુ એવા છોડીએ છીએ.


૧૭. શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં ગોઠવતાં લંબાઈ ૩૩૦૦  દ્બ.સ્ થાય.


૧૮. બંને કીડનીમાં મળી કુલ :૨૦ (વીસ) લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે.


૧૯. એક કીડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ (નેફ્રોન) હોય છે.


૨૦. બન્ને કીડનીઓ મળી એક દિવસમાં ૧૫૦૦ (પંદરસો) લિટર લોહી શુદ્ધ કરે છે.


૨૧. શરીરના નાના આંતરડાની લંબાઈ ૨૫ (પચીસ) ફૂટ હોય છે.


૨૨. મોટા આંતરડાની લંબાઈ ૬(છ) ફૂટ હોય છે.


૨૩. મુખ થી ગુદાસુધી ખોરાક કુલ ૩૫ (પાંત્રીસ) ફૂટની ક્રિયાઓમાંથી પસાર થાય છે.


૨૪. માણસની હોજરીમાં એક સાથે ૪ (ચાર) કિલો ખોરાક સમાઈ શકે છે.


૨૫. નવજાત શિશુમાં ૩૧૦ હાડકાં અને યુવાનીમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે.


૨૬. મનુષ્યના બે હાથમાં કુલ ૨૭ હાડકાં છે.


૨૭. મનુષ્યના માથાની ખોપરી ૨૨ હાડકાંથી જોડાયેલી છે.


૨૮. પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે.


૨૯. શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા ૭૦૦ (સાતસો) છે.


૩૦. એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છીદ્રો હોય છે.


૩૧. માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે ૭૨ સ્નાયુઓ સક્રિય હોય છે.


૩૨. માણસ ક્રોધ- ગુસ્સો કરે ત્યારે ૧૨૮ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે.


૩૩. મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે.


૩૪. નાના અને મોટા મગજમાં મળી કુલ સો (૧૦૦) અબજ કોષો હોય છે.


૩૫. સ્વાદ પરખવા જીભ ઉપર ૩૦૦૦ (ત્રણ હજાર) સ્વાદગ્રંથિઓ છે.


૩૬. જીભ ઉપરના સ્વાદ કેન્દ્રોદરરી4 દસ દિવસે નવા બને છે.


૩૭. માણસની આંખો 

૨૪(ચોવીસ) કલાકમાં ૧૪,૪૦૦ વખત પલકારા મારે છે.


૩૮. એક મિનિટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં આપણે ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ.


૩૯. ૨૪ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે.


૪૦. માણસને એક દિવસમાં ૧૩(તેર) ઘનમીટર શુધ્ધ હવાની જરૂર પડે છે.


૪૧. ૮ (આઠ) કલાકની ઊંઘમાં માણસ ૩૫ (પાંત્રીસ) વખત પડખાં બદલે છે.


૪૨. પિનિયલ, હાઈપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ, અંડપિંડ ૮ ગ્રંથિઓ છે.


૪૩. શરીરમાં ૭૮ અંગો બે અક્ષરનાં છે જેમ કે હાથ, પગ, આંખ, કાન વગેરે.


૪૪. આંખ- કાન- નાકનાં ૬ દ્વાર, મુખ, લિંગ, ગુદામળી કુલ ૯(નવ) દ્વાર છે.


૪૫. શ્વસન- ઉત્સર્ગ- પાચન- રૂધિરાભિષણ- જ્ઞાન= પાંચ તંત્રો શરીર ચલાવે છે.


૪૬. આંખની પાંપણો દર ૬૪ (ચોસઠ) દિવસે નવી ફૂટે છે.


૪૭. પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં ૭૦ (સિત્તેર) લાખ રીસેપ્ટર હોય છે.


૪૮. આંખનો કોર્નિયા એક માત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી.


૪૯. આંખો દ્વારા માણસ કુલ ૨૦૦૦ (બે હજાર)થી વધુ રંગો ઓળખી શકે છે.


૫૦. હોજરીનું અંદરનું આવરણ (પડ) દર ૧૦ (દસ) દિવસે નવું બને છે.


૫૧. માણસના આખા શરીરમાં કુલ ૬૦,૦૦૦ અબજ કોષો છે.


૫૨. આખા શરીરના જ્ઞાનતંતુઓની લંબાઈ ૭૨ (બોત્તેર) કિ.મી.ની થાય છે.

૫૩. આપણા શરીરમાં ૨/૩ ભાગમાં પાણી છે.


૫૪. શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪ ફેરનહીટ હોય છે. 


૫૫. સૌથી ઓછું માઈનસ- ૨૦ અને વધુ ૫૫ ડીગ્રી(ઠંડી- ગરમી) તાપમાન શરીર સહન કરી શકે છે.


૫૬. આપણા શ્વાસ- ઉચ્છ્વાસનો અવાજ ૧૦( દસ) ડેસિબલ હોય છે.


૫૭. બાળકને ૧૦૦, યુવાનને-૩૫૦૦, પ્રૌઢને- ૨૦૦૦ અને સ્ત્રીને ૧૮૦૦ કેલેરીની જરૂર પડે છે.


૫૮. આખા જીવનમાં (૨૦થી ૫૫ વર્ષ) માણસ-૧૨૦ વખત રકતદાન કરી શકે છે.


૫૯. ૧૦૦ વર્ષની જિંદગીમાં માણસ ૩૩ વર્ષ ઊંઘવામાં જ વીતાવે છે.


૬૦. જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે.


*પિંડે સો બ્રહ્માંડે*

ત્રિકમ સાહેબ

ત્રિકમ સાહેબ :-
ત્રિકમ સાહેબ એ ભારત દેશનાં ગુજરાત રાજયનાં કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે કબીર પરંપરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત થઈ ગયાં. તેઓ એ પોતાનાં જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. પોતાનાં જીવન દરમિયાન તે સમયે છુતાછુતનાં રિવાજથી તેઓએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક સિધ્ધ સંતમાં સ્થાન પામ્યા હતાં અને તેઓને ભાણસંપ્રદાયમાં ત્રિકમ નું બિરૂદ પામ્યા હતાં.જન્મ :
ત્રિકમ સાહેબનો જન્મ ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાનાં રામવાવ ગામે દલિત જ્ઞાતિની પેટા શાખા ગરોડા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતા ગોકળદાસ વ્યવસાયે ખેતી અને વણાટકામ સાથે જોડાયેલા હતાં. તેથી નાનપણથી જ ત્રિકમ સાહેબ ખેતીકામ કરતા હતાં. પોતાના ખેતરમાંથી પક્ષીઓ પાકનાં દાણા ચણી જતા છતા પણ તેઓ તો ભક્તિમાં જ લીન રહેતા હતાં. આમ તેમને નાનપણથી આધ્યાત્મિક અને દયાળુ જીવન પસંદ કર્યુ હતુ. તેઓનાં ખેતરની પાસે જ આવેલ કાગનોરાની ગુફા આવેલી હતી. ત્યાં રામગુરુ નામનાં એક યોગી મહાત્મા નિવાસ કરતા હતાં. તેથી ત્રિકમ સાહેબ ત્યાં વારંવાર જતા હતાં.
ગુરૂ દિક્ષા:
ભક્તિમય જીવન જીવતા-જીવતા એક દિવસ ત્રિકમ સાહેબે સંત રામગીરીની પાસે દિક્ષા લેવા અરજ કરી. આ સાંભળીને પહેલાથી ત્રિકમ સાહેબનાં આત્માને ઓળખતા યોગી રામગીરી હસતા હસતા કહેવા લાગ્યા કે તુ રાપર ગામે બિરાજતા સંતશ્રી ખીમ સાહેબ પાસે જવા કહ્યુ. જેથી તારૂ કલ્યાણ થશે. આ યોગી મહાત્માની વાત ઉપર વિશ્વાસ રાખીને તેઓ રાપર ગામે ખીમ સાહેબનાં આશ્રમે અવાર નવાર જવા લાગ્યાં અને સેવા પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમજ ત્યાં આશ્રમમાં ઉજવાતા પ્રંસંગોમાં પણ જવા લાગ્યા.
એક દિવસ ખીમ સાહેબ અને તેમના અન્ય સત્સંગીઓ સૌરાષ્ટ્રમાં જતા હતાં. તે જાણીને ત્રિકમ સાહેબ પણ તેમની સાથે દરીયાઈ માર્ગે હોડી મારફત જવા પહોંચી ગયાં. પરંતુ તે સમયનાં ઉંચનીચ અને છુઆછુતનાં રિવાજ મુજબ લોકોએ તેમને હોડીમાં બેસવાની ના પાડી દીધી. પરંતુ ત્રિકમ સાહેબ અંતરથી લાગેલી ભક્તિ અને આસ્થાથી રોકાયા નહી અને પોતાનો અંચળો (શાલ જેવું કાપડ ) દરિયા માં નાખતા તે દરિયા પર તરવા લાગ્યું અને તેની પર ઉભા રહી દિયો પાર કરી . જે જગ્યાએ ખીમ સાહેબ અને સત્સંગીઓ પહોંચવાનાં હતાં તે જગ્યાએ તેમના પહેલા પહોંચી ગયાં અને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં. આ પ્રંસંગ ખીમ સાહેબને પ્રભાવિત કરી નાખ્યા.અને તેઓને થયું કે આ યુવાન ખરેખર ભક્તિપ્રવાહને જીવંત રાખે તેમ છે. જેથી ત્રિકમ સાહેબની આસ્થા અને ભકિતની તાલાવેલી જોઈને ખીમ સાહેબે તેમનાં શિષ્ય બનાવી દીધા.અને તેમને સાહેબ નું બિરુદ આપ્યું.ત્યાર થઈ તેંઓ ત્રિકમ સાહેબ કહેવાયા. આમ તેમણે ભાણ સંપ્રદાયમાં આગળ વધીને ગુરૂ આદેશથી રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે આશ્રમ સ્થાપ્યો. જે હાલ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા વિકાસ સંસ્થાના નેજા હેઠળ ચાલે છે.
સદાવ્રત:
પોતાનાં ગુરૂ આદેશને શિરોમાન્ય સમજીને તેઓએ ચિત્રોડ ગામે સ્થાપેલા તેમનાં આશ્રમે સદાવ્રત ચાલુ કર્યુ. તે સમયે ઝડપી વાહન વ્યવહારની કોઈ સગવડ ન હતી, તેથી ધાર્મિક દેવસ્થાનોની યાત્રાએ નીકળેલા સાધુ-સંતોને અને અન્ય યાત્રાળુને નાત-જાતનાં ભેદભાવ રાખ્યા વિના જમાડવાની શરુઆત કરી. તે દરમિયાન તેમણે લોકોની ટીકાઓ અને વિરોધનો ઘણોબધો સામનો કર્યો હતો અને છતા પણ અડગ રહીને તેઓ સામાજિક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં આ કાર્યની સાથે તેઓએ ગુજરાતી ભાષામાં મહત્વનુ યોગદાન કહી શકાય તેવા ભજનોની રચનાં કરી. તેમનાં ભજનો આજે પણ વિખ્યાત છે. ભાણ સંપ્રદાયની પરંપરાને જીવંત રાખતાની સાથે તેમણે ઘણા શિષ્યોને કંઠી બાંધી હતી. તેમના સાત શિષ્યો હતા જેમાં મુખ્ય બે શિષ્ય, જેમાં રાધનપુરનાં નથુરામ સાહેબ અને બીજા સૌરાષ્ટ્રનાં આમરણ ગામનાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા)જ્ઞાતિનાં ભીમ સાહેબ..(સંદર્ભ માટે બાહ્ય કડીઓમાં 4થા નંબરે આપેલા 100 સંતોના પરિચયોમાંના ભીમ સાહેબના પરિચયને જૂઓ.) ભીમ સાહેબનાં પણ એક શિષ્ય થયા તે ઘોઘાવદરનાં દાસી જીવણ. આમ કબીરથી શરૂ થયેલી આ પરંપરામાં ઘણાબધા સિધ્ધ સંતો થયા જેઓએ સદાવ્રતની સાથે સાહિત્યને સમૃધ્ધ રાખવા ભજનોની રચના કરી.
સમાધી:
જેમ એક ભજનની સાખીમાં કહ્યુ છે કે સંતને સંતપણા નથી મફતમાં મળતા તેના મુલ ચુકવવા પડતા. આમ તેમનાં ભક્તિમય અને સેવાકીય સંધર્ષમય જીવનનો અંત આવવાનો છે તે અગાઉથી જ જાણી ગયેલા આ સંતે એક દિવસ પોતાનાં શિષ્યોને બોલાવીને કહ્યું કે જયારે હું આ દુનિયા છોડીને જઉં ત્યારે મારી સમાધી મારા ગુરૂ શ્રી ખીમ સાહેબની સમાધીની બાજુમાં રાપરનાં આશ્રમે દેજો. અને વિક્રમ સંવત ૧૮૯૨ નાં શ્રાવણ વદ ૮ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે ચિત્રોડ ગામે આવેલા તેમનાં આશ્રમે તેઓએ દેહત્યાગ કર્યો.
સંત શ્રી ત્રિકમ સાહેબનાં આદેશ મુજબ તેમનાં શિષ્યો તેમના દેહને સમાધી આપવા રાપર ગામે ગુરૂઆશ્રમે લાવ્યા.રસ્તા 

Monday 7 June 2021

ઘરેણાં પહેરવા નું વૈજ્ઞાનિક કારણ

તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.

આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

 ૧. પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-
સ્નાયુઓની પીડા રોકે છે, 
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે. 
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨. ઝાંઝર, કડા અને પાયલ:-
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે. 
પગને શ્રમ ઓછો પડે છે.

 ૩. કમર પટ્ટો કે કંદોરો:-
કમરનાં દર્દો દૂર કરે છે. 
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

 ૪. અંગુઠી કે વીંટી:-
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

 ૫. હાથની બંગડીઓ અને કડા:-
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે. 
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

 ૬.  બાજુબંધ પોંચી:-
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

 ૭. હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~
આંખની જ્યોતિ વધારે છે. 
કંઠમાળનો રોગ નથી થતો. 
અવાજ સૂરીલો બને છે. 
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

 ૮.  કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~ 
કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે. 
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

 ૯. નાકની નથણી, ચૂંક કે સળી:-
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

 ૧૦. માથાનો ટીકો:-
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે 
સોના,ચાંદી, હીરા, મોતી છે. 

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. 

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે. 

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો....

Tuesday 25 May 2021

પાળિયાના ૧૧ પ્રકારો


શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે...


પાળિયાના ૧૧ મુખ્ય પ્રકારો કૈક આવા છે, ખાંભી, થેસા, ચાગીયો, સુરાપુરા, સુરધન, યોદ્ધાઓના પાળિયા, સતીના પાળિયા, ખલાસીઓના પાળિયા, લોકસાહિત્યના પાળિયા, પ્રાણીઓના પાળિયા અને છેલ્લો પ્રકાર છે ક્ષેત્રપાળના પાળિયા


1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ.


2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે


3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે.


4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે.


5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે.


6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી સંખ્યામાં પણ જોવા મળી આવે છે જેને રણ ખાંભી તરીકે પણ ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય તે જગ્યા પર મુખ્યત્વે બાંધવામાં આવે છે. શરૂઆતમાં આવા પાળિયાઓ, કોઈ સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા માટે બાંધવામાં આવતા હતા અને પાછળથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ છે. આવા સ્મારકોમાં મોટે ભાગે યોદ્ધાને તલવાર, ગદા, ધનુષ તિર અને બંદુકો જેવા હથિયારો સાથે પણ દર્શાવવામાં આવે છે. ક્યારેક આવા સ્મારકો માં આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે તો ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે. આવા સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ તમે જોયા જ હશે.


7) સતીના પાળિયા: કોઈ સ્ત્રી સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે અને ઘણીવાર લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે આવા પાળિયાઓની દેવી તરીકે પૂજા થાય છે. આ સ્મારકોમાં મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવવામાં આવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ ની સાથે અન્ય પ્રતીકો જેવા કે મોર અને કમળ પણ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ પણ જોવા મળે છે. ઘણા બધા સતીઓના પાળિયા માં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ જોવા મળે છે. આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યા એ જોવા મળે છે.


8) ખલાસીઓના પાળિયા: ગુજરાતમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો ખલાસીઓ ના સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ઘણી વખત જહાજ પણ દર્શાવવામાં આવે છે.


9) લોકસાહિત્યના પાળિયા: આવા સ્મારકો માં પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, ધાર્મિક સંતો-ભક્તો, વગેરે માટે કરેલો દેહત્યાગ નું વર્ણન જોવા મળે છે. આ સ્મારકનું ઉદાહરણ જોવું હોય તો ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.


10) પ્રાણીઓના પાળિયા: જુના સમય માં અશ્વ, શ્વાન અને ઊંટ જેવા પ્રાણીઓ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.


11) ક્ષેત્રપાળના પાળિયા: આ પાળિયા ક્ષેત્રપાળ એટલે કે કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતાં શુરવીરો ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ તરીકે પૂજાય છે. તે કોઈ સ્મારક નથી પરંતુ લગભગ એટલો જ અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થતી આવી છે. તેઓ જમીન અને પાકનું રક્ષણ કરે છે. આ પાળિયા ઉપર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો ને રક્ષણના પ્રતીક તરીકે કંડારવામાં આવે છે..


તો મિત્રો આ હતી પાળિયા ના ૧૧ પ્રકારો વિશેની માહિતી, આશા છે કે તમને આ માહિતી ચોક્કસ ગમી હશે,

Friday 23 April 2021

ભારતની પ્રખ્યાત આંબા ની જાતો

(01) કેસર

(02) બોમ્બે હાફૂસ

(03) દૂધપેંડો

(04) નિલેશાન

(05) રૂમી હાફૂસ

(06) જમરૂખ્યો

(07) જહાંગીર પસંદ

(08) કાવસજી પટેલ

(09) નિલ ફ્રાન્ઝો

(10) અમીર પસંદ

(11) બાદશાહ પસંદ

(12) અંધારીયો દેશી

(13) નારીયેરી

(14) કાળીયો

(15) પીળીયો

(16) બાજરીયો

(17) હઠીલો

(18) બાટલી

(19) કાળો હાફૂસ

(20) કાચો મીઠો

(21) દેશી આંબડી

(22) બદામડી

(23) સીંધડી

(24) કલ્યાણ બાગી

(25) રાજાપુરી

(26) અષાઢી 

(27) લંગડો

(28) રૂસ

(29) જમ્બો કેસર

(30) સુપર કેસર

(31) અગાસનો બાજરીયો

(32) સફેદા

(33) માલ્દા

(34) ગોપાલભોગ

(35) સુવર્ણરેખા

(36) પીટર

(37) બેગાનો પલ્લી

(38) એન્ડૂઝ

(39) યાકુત રૂમાની

(40) દિલ પસંદ

(41) પોપટીયા

(42) ગધેમાર

(43) આમીની

(44) ચેમ્પિયન 

(45) વલસાડી હાફૂસ

(46) બદામી

(47) બેગમ પલ્લી

(48) બોરસીયો

(49) દાડમીયો

(50) દશેરી

(51) જમાદાર

(52) કરંજીયો

(53) મક્કારામ

(54) મલગોબા

(55) નિલમ

(56) પાયરી

(57) રૂમાની

(58) સબ્ઝી

(59) સરદાર

(60) તોતાપુરી

(61) આમ્રપાલી 

(62) મલ્લિકા અર્જુન

(63) રત્નાગિરી હાફૂસ

(64) વનરાજ

(65) બારમાસી

(66) શ્રાવણીયો

(67) નિલેશ્વરી

(68) વસીબદામી

(69) ગુલાબડી

(70) અમુતાંગ

(71) બનારસી લંગડો

(72) જમીયો

(73) રસરાજ

(74) લાડવ્યો

(75) એલચી

(76) જીથરીયો

(77) ધોળીયો

(78) રત્ના

(79) સિંધુ

(80) રેશમ પાયરી

(81) ખોડી

(82) નિલકૃત

(83) ફઝલી

(84) ફઝલી રંગોલી

(85) અમૃતિયો

(86) કાજુ

(87) ગાજરીયો

(88) લીલીયો

(89) વજીર પસંદ

(90) ખાટીયો

(91) ચોરસા

(92) બમ્બઈ ગળો

(93) રેશમડી

(94) વેલીયો

(95) વલોટી

(96) હંસરાજ

(97) ગીરીરાજ

(98) સલગમ

(99) ટાટાની આંબડી

(100) સાલમભાઈની આંબડી

(101) અર્ધપુરી

(102) શ્રીમંતી 

(103) નિરંજન

(104) કંઠમાળો

(105) કુરેશી લંગડો


આટલી આંબાની જાતોના નામ આપે કદી સાંભળ્યા પણ નહીં હોય.

Wednesday 7 April 2021

નવા શબ્દો

 *આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી

પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે...


૧.● દોરી - કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે


૨.●વળગણી-કપડા સુકવવા બાંધેલી દોરી કે લાકડા ની વળી ને વળગણી કહેતા


૩.● જાળી - ભમરડો ફેરવવા માટે


૪.● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ


૫.●અછોડો:-રાશથી નાનોને ઢોરને ખીલે બાધવા વપરાતો દોરડાનો ટુકડો


૬.● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું


૭.● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું


૮.●વરેડુ-ગાડામા પુળા કે ઘાસ ભર્યા પછી તેને ગાડાની આકડીઓ સાથે બાધવાનુ મોટુ દોરડુ


૯.● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી


૧૦.●છીકલુ:-દોરીની ગુથેલી જાળી જે બળદને પહેરાવાતી હતી જેથી ચાલુ કામે ખાઈ ન શકે


૧૧.● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી


૧૨.● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી


૧૩.● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.


૧૪.● ડામણ - ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.


૧૫.●ડેરો:-ભેસને બે પગ વચ્ચે રહે તે બંધાતુ લાકડુ જેથી તે દોડી ન શકે.


૧૬.● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન


૧૭.● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી


૧૮.●નેણ:-ગાડા સાથે ઘુસરી બાધવા માટેની ચામડાનુ દોરડુ...


૧૯.● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા. ત.


૨૦.● શીંદરી- કાપડની ચીદડીમાંથી બનાવેલી દોરી.


૨૧.● સૂતળી - શણમાં થી બનાવેલી દોરી


૨૨.● વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી


૨૩.● કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી


...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,


૨૪.● ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.


૨૫.● પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.


૨૬.●ફાટ-કાલા કે ખેતીની પેદાશ છોડ પરથી વીણી કમરે બાધેલા કપડામા ભેગી થાય તે


૨૭.● ચોફાળ -(ચલાકો) પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.


૨૮.● બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.


૨૯.● ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો


૩૦.● પનિયું- કમરે બાંધવાનું કાપડ


૩૧.● ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ


૩૨.● ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.


૩૩.● કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.


૩૪.● મસોતું- રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.


૩૫.● પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.


૩૬.● અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.


૩૭.●ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)

૩૮.●મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)

૩૯.●શિપર ( સપાટ પથ્થર )

૪૦.●પાણો ( પથ્થર)


૪૧.●ઢીકો (ફાઇટ મારવી)

૪૨.●ઝન્તર (વાજિંત્ર)

૪૩.●વાહર (પવન)


૪૪.●ભોઠું પડવું ( શરમાવું )

૪૫.●હટાણું. ( ખરીદી કરવા જવું )

૪૬.●વતરણું ( સ્લેટ ની પેન)

૪૭.●નિહાળીયા (વિદ્યાર્થી )

૪૮.●બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )

૪૯.●રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)

૫૦.●નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)

૫૧.●ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)

૫૨.●ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)

૫૩.●ખાહડા ( પગરખાં)

૫૪.●બુસ્કોટ ( શર્ટ )

૫૫.●પાટલુન ( પેન્ટ)

૫૬.●ભીસ્કુટ ( બિસ્કીટ )

૫૭.●ફારશયો ( કોમેડિયન )

૫૮.●ફારસ. ( કોમિક )

૫૯.●વન્ડી. ( દીવાલ )

૬૦.●ઠામડાં ( વાસણ )

૬૧.●લેવકળો ( માગ માગ કરનાર )

૬૨.●ભેરુ (દોસ્ત )

૬૩.●ગાંગરવુ. (બુમાબુમ કરવી)

૬૪.●કાંઠાળો ( હાઈટ વાળો )

૬૫.●ડણક ( સિંહ ની ત્રાડ)

૬૬.●બકાલુ (શાક ભાજી )

૬૭.●વણોતર ( નોકર)

૬૮.●ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)

૬૯.●રાંઢવુ ( દોરડું )

૭૦.●દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )

૭૧.●પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )

૭૨.●અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)

૭૩.●દકતર (સ્કૂલ બેગ)

૭૪.●પેરણ. (પહેરવેશ ખમીસ)

૭૫.●ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)

૭૬.●બાક્સ (માચિસ )

૭૭.●નિહણી ( નિસરણી)

૭૮.●ઢાંઢા ( બળદ )

૭૯.●કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)

૮૦.●વેંત ,(તેવડ)

૮૧.●હડી કાઢ (દોડાદોડ,,)

૮૨.●કળી ( ઝીણા ગાઠીયા ) 

૮૩.●મેં પાણી. ( વરસાદ )

૮૪.●વટક વાળવું

૮૫.●વરહ (વર્ષ,)

૮૬.●બે ખેતર વા ,( દુરી નું એક માપ)

૮૭.●વાડો

૮૮.●૧ ગાવ (અંતર)

૮૯.●બાંડિયું

૯૦.●મોર થા ,( આગળ થા)

૯૧.●જિકવું

૯૨.●માંડવી(શીંગ)

૯૩.●અડાળી( રકાબી)

૯૪.●સિસણ્યું

૯૫.●દા આવવો (દાવ આપવો લેવો )

૯૬.●વાંહે (પાછળ)

૯૭.●ઢીસ્કો ( ઠીંગણા)

૯૮.●બૂતાન (બટન)

૯૯.●બટન( સ્વીચ )

૧૦૦.●રેઢિયાર (ધણી ધાણી વગર)

૧૦૧.● લુગડું - સાડીને લુગડું પણ કહે છે.


ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-


૧.● પરોણો - બળદને હાંકવા માટેની લાકડી


૨.● કળીયુ - ખેતી માટેનું સાધન


૩.● બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.


૪.● ફાળ - હળનો નીચેનો ભાગ


૫.● કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો


૬.● કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન


૭.● સુંઢ - કોસનો ચામડાનો ભાગ


૮.● ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર


૯.● પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું


૧૦.● તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન


૧૧.● ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન


૧૨.● પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું


૧૩.● ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા


૧૪.● ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા


૧૫.● પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું


૧૬.● તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન


૧૭.● ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન


૧૮.● બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન


૧૯.● સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય


૨૦.● રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન


૨૧.●દંતારી-ઘાસ,પાદડી તુટે નહી તે રીતે ભેગુ કરવાનુ સાધન


૨૨.●પાસી-વાડ કરવા માટે થોર કાપવાનુ દાતાવાળુ સાધન


૨૩.● રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન


૨૪.● નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ


૨૫.● મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય


૨૬.● વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.


૨૭.● સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.


૨૮.● વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.


૨૯.● પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે


૩૦.● ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.


૩૧.●ઢોલડી-નાના ખાટલાને ઢોલડી કહે છે.


૩૨.● નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.


૩૩.● ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.


૩૪.●ઉદરિયુ-રેતાળ જમીનમા પિયત વેળા ઉદરના દર વડે પાણી બીજે ફુટે તે


૩૫.● છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.


૩૬.●ગાડાવાટ:-પાછળ આવેલા ખેતરમા ગાડુ લયી જવા ખુલ્લી મુકાતી જગ્યા


૩૭.● ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા


૩૮.● કેડો - રસ્તો


૩૯.● કેડી - પગ રસ્તો


૪૦.● વંડી - દિવાલ


૪૧.● કમાડ - મોટું બારણું


૪૨.● ડેલો - મોટા કમાડવાળું બારણું.


૪૩.●દંતાર-ત્રણ દાતા (વચ્ચે કાણાવાળા)

જોડીને બનાવેલ સાધન જે દાણા વાવવામા

કામે લેવાય છે.વાવણીયો પણ કહે છે.


૪૪.●માણુ:-લાકડાની ઉપરથી ગોળને નીચેથી સપાટ તેમા ત્રણ ચાર કાણા સોસરવા

હોય છે જેમા પોલા વાસના દંડા લગાડી વાવણીયાના દાતાના કાણામા પરોવી દઈ બી

ઓળવી વાવણી.થાય તે....


૪૫.●છોરીયુ::-નાની કોદાળી.ઘાસને છોલવા માટે..


૪૬.●કાઈટ્યુ:-દાતા વગરનુ પણ ટીપીને ધાર કાઢેલુ.દાતરડુ...


૪૭.●ત્રિફળાયુ:-ત્રણ ફણા વાળુ ખેડનુ ઓજાર


૪૮.●આડુ:-ગાડામા વપરાતુ. લાકડાનુ સહેજ ગોળ હોય તે


૪૯.●પાજરી:-ગાડામા ખાતર,બાજરીના. ઢુઢા,ઘઉનુ ભુસુ ભરવા લગાડાય તે


૫૦.●માચી(ગાડાની):-બે પાયા વાળી ખાટલાની જેમ દોરીથી ભરેલ તે લગ્ન

પ્રસંગે ગાડા પર બંધાતી તેથી ઢાળ ન પડે


૫૧.●સમોલ:-ઘુસરી કે ઘુસરાના છેડે બળદ

બહાર ન નીકળી જાય તે માટે 


૫૨.●જોતર:-બળદની કાધ પર ઘુસરી મુક્યા પછી ચામડાનો એક.પટ્ટો જે ઘુસરીને સમોલ

સાથે બાધવામા આવે તે


૫૩.●કાલર:-પૂળાને આડા ઉભા ગોઠવીને કરાતો સંગ્રહ


૫૪.●ઓઘલી:-પૂળાને લાબો સંગ્રહી રાખવા નીચેથી ગોળાકારને ઉપર જતા શંકુ આકારને


૫૫.●સાલા(હાલા):પૂળાને મોટા જત્થામા ચોમાસામા પલળે નહી તેવી રીતની મોટી

ઓઘલી જેવી પધ્ધતિ જેમા જેવાકે ધઉનુ

પરાર,મગફળીની પાદડી સંગ્રહવામા આવે તે...આના ખાસ બનાવનાર હતા.


૫૬.●ભંડારીયુ:-બળદગાડામા નીચે ભાગે

આવતી ડેકી...


૫૭.●ગોફણ/ગિલોલ:-પાક પરથી પક્ષીઓ 

તેમજ વાદરાને ભગાડવાના કામે લેવાય તે.


૫૮.●રવૈયો:-દહી વલોવી છાસ બનાવવા માટે


૫૯.●પાટીયુ:-માટીની પહોળા મોઢાવાળી માટલી જેમા અગાઉના સમયમા શાક, ખીચડી વિગેરે રાધવામા આવતુ તે.


૬૦.●હલાણુ:-હળથી ખેડવા ગોળ રાઉન્ડથી ખેડાતી જમીન....એક ગ્રામીણ માપ


૬૧.●દામુ:-નીકમાથી ક્યારામા પાણી વાળવાનીને બંધ કરવાની જગ્યા.


૬૨.◆છરીયુ:-એક લાબા પટ્ટાની મોટી ક્યારી.


૬૩.●ગુથણુ:-ઘુસરીના મધ્યભાગે આવેલ લોખંડનો ખીલો..જેનાથી હળ,સાતિ રાશથી બાધવામા આવે...


૬૪.●ઢોચકુ:-નાની ધાતુની બરણી


65 બડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)

66 મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)

67 નશિપર ( સપાટ પથ્થર )

68 પાણો ( પથ્થર)


69 ઢીકો (ફાઇટ મારવી)

70 બઝન્તર (વાજિંત્ર)

71 વાહર (પવન)


72 ભોઠું પડવું ( શરમાવું )

73 બહટાણું. ( ખરીદી કરવા જવું )

74 વતરણું ( સ્લેટ ની પેન)

75 નિહાળીયા (વિદ્યાર્થી )

76 બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )

77 રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)

78 નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)

79 ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)

80 ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)

81 નખાહડા ( પગરખાં)

82 બુસ્કોટ ( શર્ટ )

83 ( પેન્ટ)

84 ભીસ્કુટ ( બિસ્કીટ )

85 નફારશયો ( કોમેડિયન )

86 ફારસ. ( કોમિક )

87 વન્ડી. ( દીવાલ )

88 ઠામડાં ( વાસણ )

89 ન લેવકળો ( માગ માગ કરનાર )

90 ભેરુ (દોસ્ત )

91 ગાંગરવુ. (બુમાબુમ કરવી)

92 કાંઠાળો ( હાઈટ વાળો )

93 ડણક ( સિંહ ની ત્રાડ)

94 બકાલુ (શાક ભાજી )

95 વણોતર ( નોકર)

96 નગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)

97 રાંઢવુ ( દોરડું )

98 દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )

99 પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )

100 અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)

101 બદકતર (સ્કૂલ બેગ)

102 પેરણ. (પહેરવેશ ખમીસ)

103 ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)

104 બાક્સ (માચિસ )

105 નિહણી ( નિસરણી)

106 ઢાંઢા ( બળદ )

107 કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)

108 વેંત ,(તેવડ)

109 હડી કાઢ (દોડાદોડ,,)

110 કળી ( ઝીણા ગાઠીયા ) 

111 મેં પાણી. ( વરસાદ )

112 વટક વાળવું

113 વરહ (વર્ષ,)

114 બે ખેતર વા ,( દુરી નું એક માપ)

115 વાડો

116 ૧ ગાવ (અંતર)

117 બાંડિયું

118 મોર થા ,( આગળ થા)

119જિકવું

120 માંડવી(શીંગ)

121 અડાળી( રકાબી)

122 સિસણ્યું

123 દા આવવો (દાવ આપવો લેવો )

124 વાંહે (પાછળ)

125 ઢીસ્કો ( ઠીંગણા)

126 બૂતાન (બટન)

127 બટન( સ્વીચ )

128 રેઢિયાર (ધણી ધાણી વગર)

129 ઝાંપો(ખડકી)ડેલી