Atul from

Saturday 19 August 2017

ભારતના મહત્વના 32 મેળાઓ

1.કુંભમેળો   -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
૨. પુષ્કરનો મેળો  – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
૩. તરણેતર નો મેળો - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
૪. ભવનાથનો મેળો  – મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે
૫. વૌઠાનો મેળો  – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
૬. માધ મેળો – અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
૭. જ્વાળામુખીનો મેળો – કાંગડા ધાટી, હિમાચલ પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ ભરાય છે.
૮. સોનપુર નો પશુમેળો – ભારતનો સૌથી મોટો પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-ગંડક્ના સંગમ પર યોજાયછે.
૯. જાનકીમેળો –મુજફફરપુર જિલ્લાના સીતામઢી ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
૧૦. ગાયચારણ નો મેળો – મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
૧૧. રામદેવજીનો મેળો   – રાજસ્થાનના પોખરણમાં ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
૧૨. બાબા ગરીબનાથ નો મેળો  – મધ્યપ્રદેશ ના શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
૧૩. કૈલાસ મેળો – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
૧૪. મહામૃત્યુંજયનો મેળો –મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
૧૫. ગંગાસર મેળો – પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.                  
૧૬. અન્નકૂટનો મેળો – શ્રીનાથદ્રારામાં કારતક સુદ એકમના રોજ યોજાય છે.
૧૭. જાગેશ્વરી દેવીનો મેળો– મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
૧૮. વૈશાલીનો મેળો – બિહારના વૈશાલીમાં ચૈત્ર સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો – ફ્રેબુઆરી મહિનામાં યોજાય છે.
૨૦. મહાવીરહીનો મેળો – રાજસ્થાનના હિંડોનમાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
૨૧. ગણેશચતુર્થીનો મેળો – રાજસ્થાનના સવાઇ માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ યોજાય છે.
૨૨. રથ મેળો   – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર મહિનામાં ભરાય છે.
૨૩. કુલુનો મેળો – હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
૨૪. રેણુકાજીનો મેળો – હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
૨૬. શામળાજીનો મેળો –ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫ સુધી મેળો ભરાય છે.
૨૭. અંબાજી નો મેળો – ગુજરાત ના બનાસકાંઠા મા અંબાજીમાં ભાદરવા સુદ પૂનમે યોજાય છે.
૨૮. વિશ્વ પુસ્તક મેળો – દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
૨૯. ઝંડા મેળો – દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે ભરાય છે.
૩૦. દદરીનો મેળો – બલિયામાં કારતક પૂર્ણિમાએ ભરાય છે.
૩૧. ચોસઠ જોગણી નો મેળો  - વારાણસીમાં ચૈત્ર સુદ એકમના દિવસે ભરાય છે.
32. પાલણપીરનો મેળો - રાજકોટ જીલ્લાના વાંકાનેર તાલુકાના હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે.કદાચ કોઇને આની જાણ નહિ હોય પરંતુ સમગ્ર વિશ્વ મા દલિતોનો અને ખાસ કરીને દલિત જ્ઞાતિબંધુઓનો આ એક જ મેળો છે. આ મેળાને જન્મ આપનાર પુજય પાલણપીરનો પોતાનો એક ઇતિહાસ છે પાલણપીર દાદાએ સીંધ પાકિસ્તાનમાં માતંગદેવ; લુણીંગદેવ; માતૈયદેવ; મામૈયદેવ એમ ૪ અવતાર લીધા. પાલણપીર તરીકે એમનો પાંચમો અવતાર છે. એમના આગલા મામૈયદેવના અવતારમાં તેમના શીષ્ય માલા સોંદરવાને આપેલ વચન મુજબ સંવત ૯૭૦ ના ચૈતર માસના શુકલ પક્ષની અજવાળી ચોથને બુધવારના રોજ હડમતીયા ગામના કપુરીયા કુંડમાંથી પ્રગટ થયા.
એક કોઢીના કોઢ મટાડતા લોકોના દુ:ખને પાલવનાર તરીકે જણીતા થયા અને પાલણદાદા તરીકે ઓળખાવા લાગ્યા. જીવનભર મેઘવાળ સમાજમાં રહીને લોકોના રોગ દુ:ખ દુર કરીને કુલે ૨૪ લાખ વૈધની અમુલ્ય ભેટ સમાજને આપતા ગયા અને જીવનના અંત સમયે દલિત સમાજના અને અન્ય સમુદાયના ભકતજનોની અરજને માની હડમતીયા ગામે સમાઇ ગયા. ત્યારથી હડમતીયા ગામે દર વર્ષે ભાદરવા વદ નોમના રોજ સાડા ત્રણ દિવસનો મેળો ભરાય છે. અંદાજે ૮૦૦ વષૅ જુના પાલણપીરના આ ધાર્મીક મેળામાં આજે મુંબઇ તેમજ રાજસ્થાન અને ગુજરાતમાંથી દલિત સમાજ ના લોકો આવે છે. કામધંધા માટે થઇ દુર દુર જઇ વસેલા દલિત સમાજના  જ્ઞાતિબંધુઓને એક કરવાનો આ મેળો છે.